અયોધ્યા: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે અયોધ્યામાં દિપોત્સવ ઉજવશે. યોગી આદિત્યનાથ આશરે પાંચ કલા અયોધ્યામાં વિતાવશે. અયોધ્યામાં સવારે હનુમાનગઢી મંદિરમાં જઈને પૂજા અર્ચના કરશે અને ત્યાર બાદ દિગંબર અખાડામાં સ્વલ્પાહારનો કાર્યક્રમ છે.
યોગી અદિત્યનાથના કાર્યક્રમ પર નજર કરીએ તો બપોરે 3.15 કલાકે યોગી આદિત્યનાથ એરપોર્ટ પહોંચશે. ત્યાંથી 3.40 કલાકે હેલિકોપ્ટરથી રામકથા પાર્ક પહોંચશે. ત્યાં રામચંદ્રજીના જીવન પર આધારિત જુદી જુદી ઝાંખીઓનું અવલોકન કરશે. ત્યાર બાદ રામકથા પાર્ક નજીક બનેલા હેલિપેડ પહોંચશે.રામકથા પાર્કમાં કાર્યક્રમમાં વિકાસના કામો શિલાન્યાસ પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતના કાર્યોનું ઉદ્ઘાટન કરશે.
સાંજે 5.10 કલાકે મુખ્યમંત્રી સમારોહને સંબોધિત કરશે..સાંજે 5.45 કલાકે નવા ઘાટ પર સરયૂ પૂજન અને અભિષેક કરશે. ત્યાર બાદ સરયૂ આરતીમાં ભાગ લેશે અને સાંજે 7.40 કલાકે દેશની રામલીલા કથાઓનું અવલોકન કરશે.