પાટણમાં ભાનુભાઈનુ મોત નિપજતા દલિત સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે ઊંઝામાં ST ડેપો બંધ રાખવામાં આવ્યુ છે.
ઊંઝામાં બંધના એલાનને પગલે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ST નિગમ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. STની બસો બંધ થતા મુસાફરો અને વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
નોંધનીય છે કે જમીન મુદ્દે ગુરવારે કલેક્ટર કચેરીમાં આત્મવિલોપન કરનાર ભાનુભાઇ વણકરનું મોત થતકાં દલિત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ભાનુભાઇના મોતના પગલે ઊંઝા બંધનું એલાન આપવામાં આવ્યું બતું. સાથએ સાથે ST નિગમ દ્વારા પણ બસો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.