આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીઓ દ્વારા ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. ત્યારે હવે ઉંઝાના ધારાસ્ભ્ય નારાયણ પટેલે અમિત શાહને પત્ર લખ્યો છે. આ પત્ર ઉમેદવારની પસંદગી બાબતે લખવામાં આવ્યો.
આ પત્ર લખીને ધારાસભ્યે અમિત શાહ પાસેથી ઉંઝા બેઠક પરથી સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવા માટેની માંગ કરી છે. ધારાસભ્ય દ્વારા પક્ષના સક્રિય કાર્યકર્તાને ટિકિટ આપવા માટે ભલામણ કરવામાં આવી છે અને બહારના વ્યક્તિને ટિકિટ ન આપવા માટે ભલામણ કરી છે.
આ ઉપરાંત તેમણે કહ્યુ છે કે બહારને વ્યક્તિને ટિકિટ આપતા તે હારી શકે તેવી પણ શક્યતા છે. ત્યાર બાદ હારની જવાબદારી સિનિયર નેતાઓ અથવા કોઈ કાર્યકર્તાઓની રહેશે નહિ.