અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ ભાજપના કેદ્રીય નેતાઓના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે. ત્યારે આજના ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાનમાં ભાજપના કેદ્રીય નેતાઓ જોડાશે. આ નેતાઓ મતદારોને આકર્ષવા શહેરોમાં ચૂંટણી પ્રચાર કરશે.
રક્ષામંત્રી નિર્મલા સીતારમન અમદાવાદમાં પ્રચાર કરશે. પરેશ રાવલ વટવામાં પ્રચાર કરશે. સ્મૃતિ ઇરાની હવે અમદાવાદ બાદ નવસારીના સંપર્ક અભિયાનમાં જોડાઇ ચૂંટણી પ્રચાર કરશે. તો રામવિલાસ પાસવાન મણીનગરમાં જાહેસભાને સંબોધશે. પ્રકાશ જાવડેકર રાજકોટમાં ચૂંટણી પ્રચાર કરશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આંગણે આવીને ઊભી છે. ત્યારે મતદારોને આકર્ષવા માટે વિવિધ અભિયાનો કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ અને ભાજપ દ્વારા વિવિધ તૈયારીઓ પણ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આજરોજ ભાજપના કેન્દ્રીય નેતાઓ ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાનમાં જોડાઇ ગયા છે. ઉપરાંત વિવિધ જગ્યાએ પ્રચાર કરશે.