અમદાવાદઃ ભાજપના જનસંપર્ક અભિયાનના આજે ત્રીજા અને અંતિમ દિવસે કેન્દ્રીય મંત્રી સ્મૃતી ઇરાની ગુજરાતની મુલાકાતે આવશે જ્યાં તેઓ અમદાવાદના જોધપુર વોર્ડ ખાતે જનસંપર્ક અભિયાનમાં જોડાશે. તેઓ ડોર ટુ ડોર પ્રચાર કરશે તેમજ ત્યારબાદ અમદાવાદ મીડિયા સેન્ટર ખાતે પત્રકાર પરિષદ કરશે.
નોંધનીય છે કે આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા જનસંપર્ક અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનમાં ભાજપના દિગ્ગજ અને કેદ્રીય નેતાઓ પણ જોડાયા છે.