નવી દિલ્હી: દિવાળી પહેલા કેન્દ્ર સરકારે રેલ્વે કર્મચારીઓને ભેટ આપી છે. બુધવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં કેબિનેટે રેલ્વે કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરી છે.
આ બાબતની જાણકારી આપતા નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું કે કેબિનેટે તહેવારો પહેલા પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસને મંજૂરી આપી દીધી છે. એનાથી કર્મચારીઓની પ્રોડક્ટિવિટી વધશે. સરકારના આ નિર્ણય બાદ 12.58 લાખથી વધારે કર્મચારીઓને લાભ મળશે.
જેટલીએ આગળ જણાવ્યું કે આ ઉપરાંત કેબિનેટે જયપુર સ્થિત આઇટીડીસીના અશોક હોટલને રાજસ્થાન સરકાર અને મૈસૂરની લલીતા પેલેસ હોટલને કર્ણાટક સરકારને આપવાનો નિર્ણય કર્યો છે.
જેટલીએ જણાવ્યું કે 17 સરકારી પ્રિંટિંગ પ્રેસને મર્જ કરીને 5 મોટી પ્રેસ બનાવવામાં આવશે અને એમની ક્ષમતા વધારવામાં આવશે આ નિર્ણયથી કોઇ કર્મચારીની નોકરી જશે નહીં.