નવી દિલ્હી : બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU) અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)નાં નામો સાથે જોડાયેલા હિંદુ અને મુસ્લિમ શબ્દ તેમની સેક્યુલર ઇમેજને નથી ગણાવતા એવામાં તેમને હટાવી દેવામાં આવવા જોઇએ. યુજીસીની એક પેનલમાં આ સલાહ આપી છે. જો કે એચઆરડી મિનિસ્ટર પ્રકાશ જાવડેકરે કહ્યું કે બંન્ને યુનિવર્સિટીનું નામ બદલવાનો કોઇ ઇરાદો નથી.
યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન (યુજીસી)એ 10 સેન્ટ્રલ યૂનિવર્સિટીઝમાં કથિત ગોટાળાની ફરિયાદોની તપાસ માટે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રીનાં નિર્દેશ બાદ 5 કમિટીઓ બનાવી હતી. આ જ કમિટીઓમાંથી એક દ્વારા આ સલાહ આપવામાં આવી છે. તેમનું કહેવું છે કે યુજીસી આ બંન્ને યુનિવર્સિટીઓને ગ્રાન્ટ આપે છે એવામાં તેની ઇમેજ પણ સેક્યુલરિજમને ગણાવતી હોય છે. પેનલનાં મેમ્બરે કહ્યું કે તેમને સીધે સીધું બનારસ યુનિવર્સિટી અથવા અલીગઢ યૂનિવર્સિટી કહેવામાં આવી શકે છે અથવા પછી તેમનાં ફાઉન્ડર્સનાં નામ પર તેમનું નામ રાખી શકાય છે.
એએમયુ અને બીએચયુ ઉપરાંત પેનલને જોનું ઓડિટ કરવાનું હતું તેમાં પોંડિચેરી યૂનિવર્સિટી અલ્હાબાદ યુનિવર્સિટી હેમવતી નંદન બહુગુણા ગઢવાલ યુનિવર્સિટી સેન્ટ્ર યુનિવર્સિટી સેન્ટ્ર યુનિવર્સિટી રાજસ્થાન સેન્ટ્ર યુનિવર્સિટી જમ્મુનો પણ સમાવેશ થાય છે. તે ઉપરાંત મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી વર્ધા ત્રિપુરા યુનિવર્સિટી અને હરિ સિંહ ગૌર યુનિવર્સિટી સાગર મધ્યપ્રદેશનો પણ સમાવેશ થાય છે.