પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યૂએઇની મુલાકાત રક રવિવારે વર્લ્ડ ગરવર્નમેન્ટ સમિટને સંબોધિત કર્યું. એમને કહ્યું કે છઠ્ઠું વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં ચીફ ગેસ્ટ તરીકે સામેલ થવું માત્ર મારું જ નહીં પરંતુ 125 કરોડ ભારતીયોનું સમ્માન છે. આ પહેલા સમિટની શરૂઆતમાં ભરતનાટ્યમની પ્રસ્તુતિ પણ થઇ.
પ્રધાનમંત્રીએ કહ્યું કે સ્ટેમ સેલ્સ અને રી જનરેશન ટેકનીક જેવી વૈજ્ઞાનિક ઉપલબ્ધિઓએ કઠિન બીમારીઓનો ઇલાજ જ નહીં પરંતુ અંગ ભંગના ઉપચારનો પણ રસ્તો દેખાડ્યો. મોસમના પૂર્વનુમાનથી ખેડૂતો પોતાની પાક બચાવી અને વધારી શકે છે. લાખો કરોડોને આપદા પ્રબંધન દ્વારા બચાવી શકાય છે. એમને કહ્યું કે ટેકનોલોજીથી વિચારની ગતિમાં ક્રાંતિકારી ફેરફાર આવ્યો છે. એનાથી સામાન્ય નાગરિકને સશક્ત બનાવવામાં ખૂબ મદદ મળી છે. ટેકનીકની સુલભતા અને એના પ્રસારે સામાન્ય લોકોનું સશ્કિતકરણ કર્યું છે અને આ સશક્તિકરણને 'મિનિમમ ગવર્નેમ્નટ મેક્સિમમ ગવર્નેસ'ને પ્રોત્સાહન મળ્યું છે.
મોદીએ કહ્યું 'વિકાસનો પહેલૂ એવો પણ છે કે પાષાણ યુગથી ઔધોગિક ક્રાંતિની સફરમાં હજારો વર્ષ પસાર થઇ ગયા. ત્યારબાદ સંચાર ક્રાંતિ સુધી માત્ર 200 વર્ષનો સમય લાગ્યો.'
દુબઇનું ઉદાહરણ આપતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ટેકનોલોજીનો અવિશ્કાર આપણે વિકાસ માટે કરવો જોઇએ. આ એખ જાદૂની જેમ જ છે કે ટેકનોલોજી દ્વારા રેગિસ્તાનને પણ બદલી શકાય છે.
એમને કહ્યું કે ક્યારેક ક્યારેક એવું લાગે છે કે માનવ ટેકનોલોજીને પ્રકૃતિ પર વિજયનો જ નહીં એનાથી સંઘર્ષનું સાધન બનાવવાની ભૂલ કરી રહ્યું છે. એની કિંમત ખૂબ ભારે છે.
માનવતાના ભવિષ્ય માટે આપણે પ્રકૃતિ સાથે સંઘર્ષ નહીં સહજીવનનો રસ્તો જોઇએ.