સુરતઃ સુરતમાં કોંગ્રેસના બે ઉમેદવારોએ એક જ બેઠક પરથી મંગળવારે ઉમેદવારી નોંધાવી પાર્ટીને સંકટમાં મુકી દીધી છે. અધિકારીયોએ જણાવ્યું કે પ્રથમ ચરણની ચૂંટણી માટે ઉમેદવારી કરવાની છેલ્લી તારીખે સુરતના કામરેજ બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવારી અશોક જરીવાલાની સાથે જ પાર્ટીના એક અન્ય નેતા નિલેશ કુંભાણીએ નામાંકન કરાવ્યું છે.
મીડિયા રિપોર્ટસ અનુસાર બન્ને ઉમેદાવારોએ અધિકારીક પત્ર દેખાડ્યું હતું કે પાર્ટીએ તેમને ટિકિટ આપી છે. પ્રથમ ચરણની ચૂંટણી 9 ડિસેમ્બરે થવાની છે. પાર્ટી નેતાઓના જણાવ્યા અનુસાર કામરેજ બેઠકના ઉમેદવાર બદવાના કારણે આ ઘટના બની છે.
કારણ કે પહેલા કુંભાણીને પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા હતા અને હવે 24 કલાકની અંદર નિર્ણય બદલી દેવામાં આવ્યો.
અધિકારીઓના જણાવ્યા અનુસાર તેમણે બન્ને ઉમેદવારોની ઉમેદવારી સ્વીકારી લીધી છે કારણ કે જરીવાલા અને કુંભાણી બન્ને પાસ પાર્ટી તરફથી જાહેર કરાયેલ અધિકારીક પત્ર હતું.
કામરેજના ચૂંટણી અધિકારીએ કહ્યું કે 'કારણ કે જરીવાલા અને કુંભાણી બન્ને પાસ કોંગ્રેસ તરફથી જાહેર કરાયેલ અધિકારિક પત્ર હતા એટલા માટે તેમની ઉમેદવારી સ્વીકારવામાં આવી. પાર્ટી તરફથી એક જ ઉમેદવાર ચૂંટણી લડી શકે છે એટલા માટે બીજાને હટાવી દેવામાં આવશે.'