લગ્નમાં દુલ્હા દુલ્હનને હળદર લગાવવાની પરંપરા જૂના સમયથી ચાલી આવી રહી છે અને આજે પણ એનું પાલન ઘણા લોકો કરે છે. શરીર પર હલ્દી લગાવવાથી દુલ્હા અને દુલ્હનને ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે. ચલો તો આજે અમે તમને જણાવીએ હલ્દી લગાવવાથી કયા કયા ફાયદા મળે છે...
શાસ્ત્રો અનુસાર હલ્દીનો ઉપયોગ દરેક પ્રકારના પૂજન કાર્યમાં આવશ્યક રૂપથી કરવામાં આવે છે. એ વગર પૂજા કર્મ પૂરા માનવામાં આવતા નથી. હલ્દીની પવિત્રતાના કારણે જ દુલ્હા દુલ્હનના શરીર પર એનો લેપ લગાવવામાં આવે છે કારણ કે લગ્ન પહેલા આ બંને પૂરી રીતે પવિત્ર થઇ શકે.
લગ્ન સમયે દુલ્હા દુલ્હનને ખરાબ નજર લાગવાની શક્યતાઓ ઘણી હોય છે. એવામાં હલ્દી લગાવવાથી ખરાબ નજર અને નકારાત્મક ઊર્જાથી એમની રક્ષા થઇ જાય છે.
એનાથી સ્કીન સુંદર અને ચમકદાર બને છે કારણ કે હલ્દીમાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. આ તત્વથી સ્કીન હેલ્ધી રહે છે. ચહેરા પરનું આકર્ષણ વધે છે.
લગ્ન પહેલા વર વધૂના શરીર પર હલ્દીનો લેપ લગાવવાથી સ્કીન સંબંઘી રોગ અથવા ઇન્ફેક્શન અથવા અન્ય કોઇ બીમારી થાય તો એને રોકી શકાય છે.