કરાચી: ICC ના મુખ્ય કાર્યકારી ડેવ રિચર્ડસને સ્પષ્ટ કર્યું કે ખેલ સંચાલન સંસ્થા ભારતને પાકિસ્તાન વિરુદ્ધ દ્વિપક્ષીય સીરિઝ રમવા માટે મજબૂર કરી શકે નહીં.
જણાવી દઇએ કે બંને દેશોની વચ્ચે 2014માં એક કરાર થયો હતો જેના પ્રમાણે બંને દેશોને 2015 થી 2023 સુધી છ દ્વિપક્ષીય સીરિઝ રમવાની હતી. પરંતુ રાજનીતિક પરિસ્થિતિને કારણે ભારતે સીરિઝ રમવાની ના પાડી દીધી.
લાહોરમાં પત્રકારો સાથે વાત કરતાં રિચર્ડસને આ વાતને પણ નકારી દીધી કે ICC નો પાકિસ્તાન ક્રિકેટની સરખામણીમાં ભારત તરફ વધારે ઝુકાવ છે. એમણે કહ્યું ''જો ભારત પાકિસ્તાન સાથે રમવા તૈયાર નથી તો અમે એને મજબૂર કરી શકીશું નહીં. આગળ તેઓએ વધુમાં જણાવ્યું કે દ્વિપક્ષીય સીરિઝ બે ક્રિકેટ બોર્ડની વચ્ચે આપસી સમજૂતીથી રમવામાં આવે છે. અમે પણ ઇચ્છીએ છે કે ભારત અને પાકિસ્તાન દ્વિપક્ષીય સીરિઝ રમે પરંતુ એમની વચ્ચે રાજકીય તણાવ છે અને કોઇ પણ પ્રકારની મેચ હાલના સંબંધો પર નિર્ભર કરે છે.''