જો તમારૂ બાળક અનેક પ્રયત્ન કરે છતાં તેને સફળતા ના મળતી હોય તો કેટલાક રાશિ મુજબ ઉપાયો કરવાથી આપનું બાળક ખુબ આગળ વધશે. મેષ:
જો બાળકને વાંચતી વખતે નીંદર આવતું હોય અને તેને એકાગ્રતા વાંચન દરમ્યાન ભંગ થતી હોય તો તેને પુર્વ દિશામાં મુખ રાખી બેસાડી વાંચન કરાવવું જોઇએ. વાંચનની શરૂઆત કરતા પહેલા ओम गं गणपतये नमः નો જાપ કરવો.
વૃષભ:
પરીક્ષામાં સમયે આ રાશિના જાતકોને પહેલાં ગોળ ખવડાવીને મોકલો. શનિવાર અને મંગળવારના દિવસે સુર્યાસ્ત સમયે હનુમાનજીનાં મંદિરમાં દિવો પ્રગટાવવો જોઇએ.
મિથુન:
આ રાશિ ધરાવતા બાળકોને ઉત્તર દિશામાં મુખ રાખીને વાંચન કરવા બેસવુ જોઇએ. ઘરની બહાર નીકળતી વખતે ગણેશ ચાલીસાનો પાઠ કરી ભગવાનને લાડુનો ભોગ ધરાવવો જોઇએ.
કર્ક:
આ રાશિના જાતકોએ વાંચનની શરૂઆત કરતા પહેલાં 21 વખત 'ओम ऐं सरस्वत्यै' नमः નો જાપ કરવો જોઇએ.
સિંહ :
આ રાશિ ધરાવતા બાળકોએ પુર્વદિશામાં મુખ રાખીને વાંચન કરવુ જોઇએ. પરીક્ષા આપવા જતી વખતે પીળા વસ્ત્રો ધારણ કરીને જવું જોઇએ.
કન્યા:
આ રાશિ ધરાવતા બાળકોએ સ્નાન કરતી વખતે માં સરસ્વતીની પ્રાર્થના કરવી જોઇએ. અને પરીક્ષા આપવા જતી વખતે વાદળી કલરનાં વસ્ત્રો ધારણ કરવા જોઇએ.
તુલા:
તુલા રાશિ ધરાવતા બાળકોએ ગોળ અને રોટલી રોજ ગાયને ખવડાવવા જોઈએ. અને સુતી વખતે પોતાના તકિયાની નીચે મીઠાની પુડીઓ રાખવી જોઇએ.
વૃશ્ચિક:
આ રાશિના બાળકોએ સ્નાન કર્યા બાદ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. પરીક્ષાના દિવસે લાલ અને ગુલાબી રંગના કપડાં પહેરવા જોઇએ.
ધન:
વાંચન સમયે રસના પડે કે ધ્યાન સ્થિર ના બને તો માં સરસ્વતી અને પોતાના ગુરૂઓનું ધ્યાન ધરવુ જોઇએ.
મકર:
આ વિદ્યાર્થીઓએ ઉત્તર દિશામાં મુખ રાખીને વાંચન કરવુ જોઇએ. પરીક્ષા આપવા જતાં પહેલા હનુમામજીના પગમાં રહેલ સિંદુરનું તિલક કરવુ જોઇએ.
કુંભ:
વાંચન કરતી વખતે મુખ ઘરના દરવાજા તરફ ના રાખવુ જોઇએ. વાંચન કરતી વખતે ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું જોઇએ.
મીન:
વાંચનની શરૂઆત કરતા પહેલાં ચંદનનું તિલક કરવું.એકાગ્રતા વધશે. પરીક્ષા આપવા જતાં પહેલા ગણેશ સ્તુતિ કરવી જોઇએ.