નવી દિલ્હી: ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ શિયળુ સત્ર શરૂ થઇ રહ્યું છે. કેન્દ્ર સરકાર ત્રણ તલાક પર મોટો નિર્ણ લઇ શકે છે. શુક્રવારે ત્રણ તલકને ધ્યાનમં રાખીને બિનજામીન ગુનો બનાવવાના બિલને કેબિનેટને મંજૂરી મી શકે છે. આ બિલમાં ત્રણ તલાક આપવા પર ત્રણ વર્ષ સુધીની સજાની જોગવાઇ છે. કેબિનેટની મંજૂરી બાદ સંસદનું શિયાળુ સત્રમાં એને રજૂ કરવામાં આવશે.
નોંધનીય છે કે સરકારના ઉચ્ચ પદ પરના સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણ તલાક પૂર્ણ કરવા માટે સરકાર સંસદના શિયાળુ સત્રમાં કાયદો લાવશે. સરકાર 'ધ મુસ્લિમ વીમને પ્રોટેક્શન ઓફ રાઇટ્સ ઇન મેરેજ એક્ટ' નામથી આ બીલને લાવશે. આ કાયદો માત્ર ત્રણ તલાક પર લાગૂ પડશે. આ કાયદા બાદ કોઇ પણ મુસ્લિમ પતિ જો એની પત્નીને તલાક આપશે તો એ બિનજામીન થશે.
ત્યારબાદથી કોઇ પણ સ્વરૂપમાં આપવામાં આવેલા ત્રણ તલાક એ મૌખિક હોય લેખિત હોય અથવા મેસેજમાં એ ગેરકાયદે હશે. જે પણ ત્રણ તલાક આપશે એને ત્રણ વર્ષની સજા અને દંડ થઇ શકે છે.
નોંધનીય છે કે નરેન્દ્ર મોદી ત્રણ તલાક પર કાયદો બનાવવા માટે એક મંત્રી સમૂહ બનાવ્યો હતો જેમાં રાજનાથ સિંહ અરુણ જેટલી સુષમા સ્વરાજ રવિશંકર પ્રસાદ પીપી ચૌધરી અને જિતેન્દ્ર સિંહ સામેલ હતા.