નવી દિલ્હી: ટ્રેનમાં સફર કરતી વખતે હવે શાકહારી યાત્રીઓને પરેશાનીનો સામનો કરવો પડશે નહીં. જી હાં. હવે તમે પ્લેટના રંગથી જ ખાવાની ઓળખ કરી શકશો. તમને મળેલી થાળીનો રંગ જો લીલો છો તો એમાં શાકાહારી અને લાલ છે તો એમાં માંસાહારી ભોજન છે. ટ્રેનોમાં બાયોડિગ્રેડેબલ પ્લેટ જે શેરડીની છાલમાંથી તૈયાર થાય છે એમાં જ જમવાનું પીરસવામાં આવશે. ટ્રેનમાં જૈન ખાવાનું એટલે કે લસણ-ડુંગળી વગરનું પણ ખાવાનું મળી રહ્યું છે.
રેલવે હાલમાં શાકાહારી અને માંસાહારી ખાવાનું અલગ અલગ પ્લેટમાં આપવાની યોજના તૈયાર કરી રહ્યું છે. શાકાહારી લોકોને લીલા રંગની પ્લેટમાં ખાવાનું પીરસવામાં આવશે. તો માંસાહારી લોકોને લાલ પ્લેટમાં. ખાવામાં કોઇ પણ પ્રકારની માખી અથવા ધૂળ ના પડે એ રેલવે વિમાનમાં પીરસવામાં આવતાં ખાવાનાની જેમ જ રેપ કરીને આપશે. રેલવેના એક અધિકારી અનુસાર બી.એ.જી.એ.એસ.એસ.ઇ ટેકનીકથી બનાવવામાં આવેલી પ્લેટમાં ખાવાનું પીરસવાની તૈયારીમાં છે. આ પ્લેટ બાયોડિગ્રેડેબલ છે. એને શેરડીની છાલથી તૈયાર કરવામાં આવી છે. પાયલોટ પ્રોજેત્ટ હેઠળ એને સિયાલદાહ શતાબ્જી ટ્રેનમાં પણ શરૂ કરવામાં આવી છે. યોજના સફળ થવા પર અન્ય ટ્રેનોમાં શરૂ કરવામાં આવશે.
સામાન્ય રીતે ટ્રેનમાં ખાવાનું આપવાની ટિપ્સની ડિમાન્ડ યાત્રીઓ પાસેથી કરે છે. એને ધ્યાનમાં લઇને રેલવે વેન્ડરો માટે એક ડ્રેસ પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ ડ્રેસની બાજુ પર લખ્યું છે નો ટિપ્સ પ્લીસ. ખાવાનું પીરસનાર લોકોને પણ કહેવામાં આવ્યું છે કે એ કોઇ પણ યાત્રીને ખાવાનું ખવડાવ્યા બાદ ટિપ માંગે નહીં. પાયલોટ પ્રોજેક્ટ હેઠળ એને પણ રાજધાની ટ્રેનમાં શરૂ કરવામાં આવ્યું છે.