છોટાઉદેપુરઃ બોડેલી પાસે આવેલ ખાડિયા ગામમાં એક ટ્રેલર ઘરમાં ઘુંસ્યુ. આ ઘટના સર્જાતા પરિવારનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના સર્જાતા ડ્રાઈવર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં ટ્રેલર એટલું જોરથી અથડાયું કે ઘર અને ટ્રેલરના કેબિનનો ભૂક્કો બોલી ગયો હતો. ટ્રેલરનું કેબિન કચ્ચર ઘાણ વળી ગયું હતું.
ઉલ્લેખનીય છે કે એક પછી એક રોજબરોજ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. મંગળવાર તો અમંગળ સાબીત થયો હતો પરંતુ બધુવારે પણ અકસ્માતની ઘટના સામે આવી છે. ત્યારે છોટાઉદેપરુના બોડેલી પાસે સ્થિત ખાડિયા ગામમાં વિચિત્ર અકસ્માત બનવા પામ્યો હતો. જેમાં એક ટ્રેલર ઘરમાં ઘુંસી ગયું હતું. આ ઘટનામાં પરિવારનો આબાદ બચાવ થયો હતો.
અમંગળ-મંગળવાર
ગઇકાલે એટલે કે મંગળવારે ત્રણ મોટા અકસ્માત બનવા પામ્યા હતા. જેમાં કુલ 9 લોકોના મોત નિપજ્યાં હતા. અરવલ્લી અને મહેસાણાના આ બે અકસ્માત ગમખ્વાસ સાબિત થયા હતા. જેમાં અરવલ્લીમાં ટ્રક અને ટ્રેકટર વચ્ચે થયેલા અકસ્માતમાં 2 મહિલા સહિત કુલ 6 લોકોના મોત થયા હતા. જયારે 13 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત છે.
તમામ મૃતકો ઝાલોદના કાદવાડ ગામના રહેવાસી હતા. તમામ લોકો ટ્રેકટરમાં ખેતરમાં મજૂરી કામ કરવા પાટણ તરફ ટ્રેકટરમાં જતા હતા. તે દરમિયાન ટ્રક સાથે અકસ્માત થયો હતો. આ ઘટનાને લઇને માલપુર પોલીસે તપાસ હાથ ધરી છે. તો ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સની મદદથી માલપુર અને મોડાસામાં ખસેડાયા હતા.
બીજો અકસ્માત મહેસાણામાં બન્યો હતો. જેમાં કારની અડફેટે 3 યુવકોના મોત થઇ ગયા હતા. આ અકસ્માત વિસનગર ખેરાલુ રોડ પાસે આવેલા પાલડી ગામ નજીક થયો હતો. યુવકો બાઇક પાર્ક કરીને ઉભા હતા. આ દરમિયાન કાર ચાલકે અડફેટે લેતાં ત્રણેય યુવકોના ઘટના સ્થળે જ મોત થઇ ગયા હતા. યુવકો ત્યાં ચોકડીમાં ઉતરીમાં ગયેલી જીપને જોવા ઉભા હતા. તે દરમિયાન આ અકસ્માત થયો. જેમાં 3 યુવકોના મોત થઇ ગયા.
જ્યારે અરવલ્લીથી મોડાસા તરફ આવતી ST બસ અરવલ્લીના ધનસુરા રોડ પર પલટી મારી ગઈ હતી. જેમા 7 વિદ્યાર્થીઓ સહિત પાંચ લોકે સવાર હતા. જેમાથી વિદ્યાર્થીઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. જ્યારે અન્ય ચાર લોકોને સામાન્ય ઈજા પહોચી હતી.