ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) દ્વારા રિલાયન્સ કમ્યુનિકેશન્સ (આરકોમ) ને ગ્રાહકોના બેલેન્સ અને સિક્યોરિટી ડિપોઝિટ પાછા આપવાનો આદેશ આપ્યો છે. ગ્રાહકોએ આ વિશે રેગ્યુલેટરને ફરિયાદ કરી હતી ત્યારબાદ આ સૂચના આપવામાં આવી છે.
ટ્રાઈએ અનિલ અંબાણીની કંપનીને અનુક્રમે 15 ફેબ્રુઆરી અને 31મી માર્ચે સુધી અહેવાલને સુપરત કરવા જણાવ્યું છે. પ્રિપેઇડ ગ્રાહકોને નાણાં અને પોસ્ટ-પેઇડ ગ્રાહકની ડિપોઝિટ રકમ પરત કરવાની સૂચના આપી છે. ટ્રાઇએ જણાવ્યું હતું કે "અસાધારણ સંજોગોમાં રિલાયન્સ કોમ્યુનિકેશન્સે પોર્ટેડ મોબાઇલ નંબરો પર રિચાર્જ કૂપન અથવા વાઉચર પ્લાન પર ખર્ચ અને પ્રિપેઇડ બેલેન્સને પાછો આપે.
આ ઉપરાંત ગ્રાહકોના પૈસા જે તેમના નંબરોને પોર્ટ અથવા સેવાનો ઉપયોગ કરવા ભર્યા હતા પરંતુ આ સર્વિસ વાપરી શકતા નથી તે ગ્રાહકોને પાછા આપવામાં આવશે. ઘાટામાં ચાલી રહેલી અને દેવા દબાયેલી આરકોમે 1 ડિસેમ્બરે દેશના આશરે અડધા નેટવર્કમાં મોબાઇલ કોલિંગ સેવાઓને અટકાવી દીધી છે.
તે જ સમયે બાકીની સેવાઓ 29 ડિસેમ્બરથી બંધ કરવામાં આવી છે. ટ્રાઇએ જણાવ્યું હતું કે આરકોમની સેવાઓ બંધ થવાને કારણે મોટી સંખ્યામાં ગ્રાહકોએ પોતાનું નંબર રાખ્યું છે અથવા તેનો મોબાઇલ નંબર બંધ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં એકાઉન્ટમાં બાકી રહેલી પ્રિપેઇડ બેલેન્સ અને સિક્યોરિટી ડિપોઝિટ કંપનીએ હજી સુધી પાછું આપ્યું નથી.