ભારત અને ઇઝરાયેલ વચ્ચે ખેતી અંગે થયેલા કરારોના પગલે સાબરકાંઠા અને તલાલામાં સ્થપાયેલા સેન્ટરો બાદ ત્રીજું સેન્ટર કચ્છ પાસે બની રહ્યું છે. સાબરકાંઠામાં શાકભાજીનું જ્યારે તાલાલામાં કેરીને લગતું સંશોધન કરવામાં આવે છે.
બંને વડાપ્રધાન વદરડ પાસે બનેલા બાગાયતી સેન્ટર ખેતીમાં થઈ રહેલું સંશોધન અને નિરીક્ષણ પણ કરશે. મહત્વનું છે કે બંને દેશના પ્રધાનમંત્રી વદરડથી રિમોટ દ્વારા જ કચ્છ પાસે તૈયાર થયેલા સેન્ટરનું ઉદ્ઘાટન કરશે.
બંને પીએમ હેલિકોપ્ટરથી જ સીધા સ્થળ પર પહોંચશે. આ સિવાય પણ સાબરમતી આશ્રમ અને અમદાવાદ પાસે આવેલા સેન્ટરની મુલાકાત લેશે.