અંબાજીઃ ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર પ્રસારનો આજે છેલ્લો દિવસ છે. આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે છે. તો બીજી બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પ્રચાર માટે ગુજરાતમાં છે. રાહુલ ગાંધી પ્રચાર પૂર્વે શ્રીજીના દર્શને પહોંચ્યા છે.
રાહુલ ગાંધી જમાલપુર ખાતે ભગવાન જગન્નાથ મંદિરના શરણે પહોંચ્યા હતા.અને શ્રીજીના મંદિરમાં શીશ ઝૂકાવ્યું હતું. રાહુલ ગાંધીએ ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા હતા. તો બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદની સાબરમતી નદીમાં સી પ્લેન દ્વારા મહેસાણાના ધરોઈ ડેમમાં લેન્ડિંગ કર્યું.
ત્યાર બાદ ત્યાંથી શક્તિપીઠ મા અંબાના દર્શન કરશે. પ્રધાનમંત્રી મોદી અંબાજીમાં શક્તિના શરણે જવા રવાના. અને ત્યાં દર્શન કરીને ચૂંટણી પ્રચાર શરૂ કરશે.