જુનાગઢઃ આજે શંકરસિંહ વાઘેલા જુનાગઢ જશે. ત્યાં તેઓ જન વિકલ્પ મોરચાનો પ્રચાર કરશે. વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર કરશે. બાપુએ અંબાજી માતાજીના દર્શન કરીને ચૂંટણીના મેદાનમાં પ્રચારના શ્રીગણેશ કર્યા છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા હવે નવી ઈનીંગ શરૂ કરવા જઈ રહ્યાં છે. ઈતિહાસ પંદર વર્ષે તેની ઘટનાઓને દોહરાવી હતી. એક સમયે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને હરાવવા શંકરસિંહ ફાગવેલથી નીકળ્યા ત્યારબાદ શંકરસિંહ ભાથીજીના મંદિરે માથુ ટેકવ્યું હતું.