ગાંધીનગર: આજે પાટીદાર અનામત આંદોલનના કાર્યકરો અને સરદાર પટેલ ગ્રૂપ વચ્ચે એક મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે.
લાંબા સમય બાદ મળનારી આ બેઠકમાં ગુજરાતનો પ્રવર્તમાન માહોલ જોતાં પાસ અને SPG બન્ને તરફથી કોંગ્રેસને સમર્થન આપવા માટે સર્વસંમતિ સધાય તેવી શક્યતા સેવાઈ રહી છે.
ઉપરાંત કોંગ્રેસ તરફથી પાસ કન્વીનરોને અનામત બાબતે દર્શાવાયેલ હકારાત્મક વલણ જોતાં આ બેઠકમાં હવે પછીની અનામત માગણી અંગે નવી રણનીતિ ઘડાય તેવી સંભાવના જણાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે પાસ અને એસ.પી.જીની બેઠક થઇ રહી છે ત્યારે હવે જોવાનું રહેશે કે આ બંન્ને સંગઠનો ક્યા પક્ષને પોતાનો ટેકો જાહેર કરે છે.