ગાંધીનગરઃ ગાંધીનગર સ્થિત સરકાર અને પાટીદાર સંગઠનોની બેઠક યોજાઈ છે. બેઠકમાં PAAS કન્વીનર હાર્દિક પટેલ પણ ઉપસ્થિત છે. બેઠકમાં ઉંઝા અને સિદસર ઉમિયાધામના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. આ ઉપરાંત સરદાર ધામના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા છે. સમસ્ત પાટીદાર સંસ્થાના આગેવાનો પણ બેઠકમાં હાજર છે.
આજે પાટીદાર અનામત આંદોલનને લઇને સરકાર અને પાટીદાર આગેવાનો સાથે બેઠક મળી છે. આ બેઠકમાં PAAS અને SPGના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે.ઉંઝા અને સિદસર ઉમિયાધામના આગેવાનો છે. જો કે આ બેઠકમાં હાર્દિક પટેલ ઉપસ્થિત પણ ઉપસ્થિત છે. તો સાથે જ આ બેઠકને લઇને હાર્દિક પટેલે શરત રાખી હતી કે બેઠકમાં ભાજપના આગેવાનોને સાથે ન રાખવામાં આવે.
ત્યારે આજે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે છેલ્લા ઘણાં સમયથી સરકાર માટે એક પરેશાની બનેલ પાટીદાર અનામત આંદોલનનો અંત લાવવા માટે આજે પાટીદારો અને સરકારની અતિ મહત્વની બેઠક યોજાઇ. સરકાર દ્વારા પાસ અને એપીજીને આમંત્રણ અપવામાં આવ્યું છે. ત્યારે સરકાર દ્વારા પાટીદારને રિઝવવા માટે દરેક પ્રકારના પ્રયાસો કરવામાં આવશે.