ગીર-સોમનાથઃ આજે શિવરાત્રી એટલે કે દેવોના દેવ મહાદેવ ભોળાનાથને રીજવવાનો દિવસ છે. આજે દેશભરના શિવાલયો હર હર ભોલેના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે. ભક્તો ભોળાનાથને રીઝવવા જલાભિષેક રૂદ્રાભિષેક ધ્વજારોહણ મહાઆરતી યજ્ઞ મહાપ્રસાદ દ્વારા પૂજા અર્ચના કરી.
ત્યારે પ્રથમ જ્યોતિલિંગ સોમનાથના દર્શન કરવા ભક્તોની ભીડ જામી છે. શિવ ભકતોની જામી છે. દેવાધિદેવ દાદા સોમના મહાદેવના દર્શન કરી ભક્તોએ લ્હાવો લીધો. આજે વિશેષ પર્વને લઇને સોમનાથ મહાદેવનું મંદિર 6 વાગ્યાને બદલે સવારે 4 કલાકે ખુલ્લુ મુકી દેવાયું હતું. ભકતોએ શિવજીની મંગળા આરતી અને વિશેષ શૃંગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
મહાશિવરાત્રીને લઇ શિવ મંદિરો પર લોકો ની ભીડ જામી રહી છે. ત્યારે પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે ઉમટ્યું માનવ મહેરામણ ભાવિકોએ વહેલી સવારની આરતીની એક ઝલક મેળવવા પડાપડી કરી. મહાશિવરાત્રી પર્વ ને લઇ શિવ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરેક શિવ મંદિરો પર શ્રદ્ધાળુઓ ઉમટી પડયા છે. સોમનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારે 4 કલાકથી શ્રદ્ધાળુઓની લાંબી લાઈનો જોવા મળી હતી. ખાસ કરીને શિવરાત્રીના દિવસે લાખોની સંખ્યામા શિવ ભક્તો સોમનાથ આવી પહોંચ્યાં છે.
જેના કારણે સોમનાથ મહાદેવ મંદિર સવારે 6ના બદલે 4 કલાકે ખુલ્લું મૂકી દેવાયું હતું. વહેલી સવારે 7 કલાકે સોમનાથ મહાદેવની આરતીની એક જાનખી મેળવવા હજારો ભાવિકો ઉમટી પડયા હતા. રીતસરની પડાપડી કરી હતી. શિવ રાત્રીને ધ્યાને રાખી સોમનાથ મંદિર 42 કલાક ખુલ્લું મુકાશે. આવતી કાલે રાત્રે 10 કલાકે મંદિરના કબાડ બંધ કરાશે. દિવસ ભાર સોમનાથ મહાદેવ મંદિરે અલગ અલગ પૂજા અને વિધિ કાર્યક્રમો યોજાશે. તો રાત્રે 12 કલાકે મહા આરતી કરવામાં આવશે. જેમાં લખોની સંખ્યામા ભાવિકો ઉમટી પડશે.
આજે દેવોના દેવ મહાદેવનો પાવન પર્વ એટલે કે મહાશિવરાત્રી છે. ત્યારે સોમનાથ મંદિરને પણ અદભૂત રીતે સજાવવામાં આવ્યું છે. અવનવી લાઈટીંગથી સોમનાથ મંદિરને શણગાર સજાવાયા છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે શિવરાત્રીની પૂર્વ રાત્રીનો આહલાદક નજારો છે. ડ્રોનના માધ્યમથી સોમનાથ મહાદેવ મંદિરને કેમેરામાં કંડરાયું છે.
તો જૂનાગઢમાં ગીરનાર તળેટીમાં આવેલા મૃગિ કુંડમાં નાગા બાવા શાહી સ્નાન પણ કર્યું. દિવસ દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોના પણ યોજાશે. તો ઠેર-ઠેર ભોળાનાથને ભાવતી ભાંગ પણ લોકોને પ્રસાદીના રૂપમાં મળી રહી છે.