અમદાવાદઃ આજે સાંજે 5 કલાકે પ્રથમ તબક્કાના મતદાન માટે પ્રચાર પડઘમ શાંત થશે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં પ્રચાર પડઘમ શાંત થઇ જશે.
પ્રથમ તબક્કાની 89 બેઠક પર ચૂંટણી પંચની આચાર સંહિતા લાગુ થશે જેના કારણે કોઈ પણ પાર્ટી જાહેરમાં પ્રચાર કરી શકશે નહીં. મહત્વનું છે પ્રથમ તબક્કાની 89 બેઠક માટે 9 ડિસેમ્બરે મતદાન યોજાવાનું છે.
પ્રથમ તબક્કામાં કુલ 977 ઉમેદવાર મેદાનમાં છે. આજે પ્રચાર પડઘમ શાંત થયા બાદ રાજકીય પક્ષો બીજા તબક્કાની 93 બેઠક પર ધ્યાન કેન્દ્રીત કરશે. બીજા તબક્કાનું 14 ડિસેમ્બરે મતદાન યોજાવાનું છે અને આ બન્ને તબક્કાનું પરિણામ 18 ડિસેમ્બરના રોજ આવશે.
પ્રથમ તબક્કામાં કઇ બેઠક મહત્વની?
પ્રથમ તબક્કાના મતદાનમાં રાજકોટ પશ્વિમ બેઠક મહત્વની ગણાય
રાજકોટ પશ્વિમ બેઠક પર આ વર્ષે ખરાખરીનો જંગ ખેલાશે
રાજકોટ પશ્વિમ બેઠક ગુજરાતના રાજકારણમાં અતિ મહત્વનો ભાગ
છેલ્લા ઘણા વર્ષોથી આ બેઠક પર ભાજપનું પ્રભુત્વ
વજુભાઇ વાળા આ બેઠક 7 વાર જીત્યા
વજુભાઇ વાળા રાજયપાલ બનતા વિજય રૂપાણીએ ઝંપલાવ્યું
રૂપાણીને પ્રથમ કેબીનેટ મંત્રી પદ મળતા ગુજરાતના બન્યા CM
મોદી CM બન્યા બાદ આ બેઠક પર વર્ષ 2002માં લડયા ચૂંટણી
કોંગ્રેસના ઉમેદવાર ઇદ્રનીલ રાજયગુરૂ લડી રહ્યા છે ચૂંટણી
ઇન્દ્રનીલે આ વખતે બેઠક બદલી પશ્વિમ બેઠક પર લડયા ચૂંટણી
ઇન્દ્રનીલે પશ્વિમ બેઠક પસંદગી કરી રૂપાણી સામે ફેંકયો પડકાર