મહેસાણામાં 3 સગીરા સાથે દુક્રર્મની ઘટના સામે આવી છે. 2 સગી બહેન સહિત 3 સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે.
ત્રણેય સગીરાને 2 દિવસ સુધી ગોંધી રાખીને આ નરાધમ કૃત્ય કરવામાં આવ્યું છે.મીલમાં કામ કરતા 3 શખ્સો પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે.
જલારામ ઓઈલ મીલમાં કામ કરતા શખ્સો પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે.હાલ લાડોલ પોલીસ મથકમાં દુષ્કર્મનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આવી ઘટનાઓ બનતા ગુજરાતની પ્રજામાં માનવતા ઓછી થઇ ગઈ છે કે કાયદો અને વ્યવસ્થા કથળતા ગયા છે તે અંગે પણ કેટલાય સવાલ ઉભા થાય છે.
એક તરફ સરકાર દવારા બેટી બચાવોની મોટી મોટી જાહેરાતો કરવામાં આવી રહી છે ત્યારે આવી ઘટનાઓ સામે આવતા વ્યવસ્થા અને કાયદો આવા લોકો માટે માત્ર મજાક હોય તેવું લાગી રહયું છે.
મહેસાણાના વિજાપુર તાલુકાના લાડોલ નજીક જલારામ ઓઈલ ઇન્ડસ્ટ્રીઝની ઓરડીમાં ત્રણ સગીરાઓ પર બળાત્કારની ઘટનાએ ચકચાર મચાવી છે. ઘટનાની લાડોલ પોલીસ મથકે નોધાયેલ ફરિયાદ મુજબ ગત ૨૪-૧૧-૨૦૧૭ થી ૨૫-૧૧-૨૦૧૭ ના રોજ મોડી રાત્રે પોણા બાર થી રાત્રે બે વાગ્યા દરમ્યાન આ વિસ્તારની ત્રણ સગીરાઓ પર બળાત્કારનો ગુનો દાખલ થયેલ છે.
જેમાં સાજન સુભાન ખાન ઇશાકખાન નાશીરખાન જલાલખાન ઉમરખાન ગજું અને જુસુબખાન ઈશકખાન આરફખાન સિંધી ત્રણેય બાડમેર રાજસ્થાનના હતા.
જેમની વિરુદ્ધ પીડિત સગીરાના પિતાએ ફરિયાદ નોધાવેલ છે. આ ત્રણેય શકશો જલારામ ઓઈલ ઇન્ડસ્ટ્રીઝ લાડોલ મુકામે કામ કરતા હતા. અને આ જ ફેક્ટરીમા એક ઓરડીમાં ત્રણ સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો.