સાસંદ મનસુખ વસાવાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. સાસંદ મનસુખ વસાવાના નિવાસસ્થાને ફોન પર ધમકી મળી હતી. ખોટી રીતે આદિજાતીના પ્રમાણપત્રો આપવા અંગેનો વિવાદ ઘેરો બન્યો છે. અગાઉ અપાયેલા પ્રમાણપત્રો રદ કરવાની માગ કરવામાં આવી હતી.
ઉલ્લેખીય છે કે ગીર જંગલના રબારી ચારણ અને ભરવાડ અને સિદ્દી મુસ્લિમોને આદિજાતિના સર્ટિફિકેટ આપવાનો મામલો ભાજપ માટે માથાનો દુખાવો બનતો જાય છે.ગઈ કાલે જ આદિવાસી સમાજના સંમેલનમાં આદિવાસી ઓએ આદિજાતી કેબિનેટ મંત્રી ગણપત વસાવાને ભગાડ્યા હતા.
તો આ તરફ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાને સૌરાષ્ટ્રમાંથી આ મુદ્દો સંસદમાં કેમ ઉઠાવ્યો તેમ જણાવી મૃત્યુના દિવસો નજીક આવ્યા છે તેમ જણાવ્યું હતું.તેમના નિવાસના લેન્ડલાઈન પર આવી ચીમકીઓ રોજેરોજ આવે છે.