સવારનો સમય દેવી-દેવતાઓને વિશેષ તરીકે પ્રિય હોય છે. આ સમયમાં કેટલાક ખાસ કામ અને ઉપાય કરવાથી ભગવાનને પ્રસન્ન કરીને તેમની કૃપા મેળવી શકાય છે.
તમામ વ્યકિત ઇચ્છે છે ધનની દેવી લક્ષ્મી તેમના પર પ્રસન્ન રહે અને તેમની કૃપા ઘર-પરિવાર પર સતત બની રહે. એવામાં સવારના સમયમાં મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ખુબ જ ખાસ માનવામાં આવે છે. રોજ સવારે સ્નાન કર્યા પછી જો 1 કામ કરવામાં આવે તો મહાલક્ષ્મી તમારે ઘરમાં વાસ કરે છે અને ધન-ધાન્યમાં ક્યારેય ખોટ પડતી નથી.
જાણો કયુ એક કામ છે જે તમામ લોકોએ સવારે કરવું જોઇએ:
જે ઘરના મંદિરમાં માં લક્ષ્મીના પદ્મ ચિહ્નોની નિયમિત પૂજા કરવામાં આવે છે ત્યાં ધનનો વાસ જરૂરથી થાય છે. ઘરને આર્થિક રૂપથી સમુદ્ઘ બનાવવા રાખવા માટે રોજ સવારે સ્નાન કરીને ઘરના દરવાજા પર માં લક્ષ્મીના પદ્મ (ચરણ) ચિહ્ન બનાવવા જોઇએ.
માં લક્ષ્મીને લાલ રંગ ખૂબ જ પ્રિય છે. આ માટે દેવી લક્ષ્મીને પ્રતીક સ્વરૂપના ચરણ ચિહ્નોને લાલ કંકુથી બનાવવા જોઇએ. સાથે જ ઘરના મુખ્ય દરવાજાને લાલ રંગના ફૂલોથી સજાવટ કરવી જોઇએ.
મહાલક્ષ્મીના ચરણ ચિહ્ન દરવાજાની બહારની તરફ બનાવવા જોઇએ. ધ્યાન રાખો કે પગલાં એવી રીતે બનાવવા જોઇએ કે ઘરની અંદરની તરફ આવતા દેખાય.
માન્યતા છે કે જે ઘરમાં દેવી લક્ષ્મીની પદ્મ ચિહ્ન હોય છે ત્યાં કોઇ પણ પ્રકારનું સંકટ આવતું નથી.
એક માન્યતા એ પણ છે. જે ઘરમાં માં લક્ષ્મી શુભ ચિહ્નો જોવે છે તે પ્રસન્ન થઇને ઘરમાં નિવાસ કરે છે અને તે ઘરમાંથી ગરીબીની વિદાય થાય છે.