બોલીવુડ અભિનેત્રી દીપીકા પાદુકોણ એક્ટર રણવીર સિંહ અને શાહિદ કપૂર સ્ટારર ફિલ્મ પદ્માવતીની શૂટીંગ ચાલી રહી છે. જ્યારે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં રિયલ લાઇફ કપલ તરીકે જાણીતા દીપિકા અને રણવીરને રાણી પદ્માવતી અને અલાઉદીન ખિલજીના રોલમાં જોવા ફેન્સ રાહ જોઇ રહ્યા છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ફિલ્મના ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીએ આ પહેલા આ રોલમાં એક્સ કપલ સલમાન ખાન અને એશ્વર્યા રાય બચ્ચનને ઓફર કરાવામાં આવ્યો હતો. જ્યારે સંજય લીલા ભણસાલીને લાગતુ હતું કદાચ એશ્વર્યા-સલમાન ફરી એક સાથે કામ કરવા તૈયાર થઇ જાય તો ફરી એકવાર
ફિલ્મમાં સાથે નજરે પડે.
એશ્વર્યા આ ફિલ્મ માટે હા પડી દેતી જો સલમાન ખાન અલાઉદીન ખિજલીનો રોલ કરવા તૈયાર હોત.ફિલ્મમાં અલાઉદીન અન પદ્માવતીનો સાથે એક પણ સીન નથી. બીજી તરફ ખબર અનુસાર સલમાન ખાન ફિલ્મ કરવા તૈયાર થઇ જતો જો આ લવ સ્ટોરી હોત.જ્યારે અલાઉદીન ખિજલીનો આ ફિલ્મમાં
નેગેટીવ રોલ છે.
સલમાન અને ઐશ્વર્યાએ વર્ષ 1999 સંજય લીલા ભણસાલીની 'હમ દિલ દે ચૂકે સનમ'માં સાથે કામ કરયા બાદ બંને વચ્ચે રોમાન્સ ચાલ્યો હતો . પરંતુ 'હમ તુમ્હારે હૈ સનમ'(2002)ની રીલિઝ બાદ બન્ને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું.