શ્રીકૃષ્ણ જન્મની ખાસ તૈયારીઓ દેશમા ઠેર-ઠેર આરંભાઇ ચુકી છે ભારતના તથા વિશ્વના પણ કેટલાક મંદીરોમા ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યુ છે ત્યારે દરેક વ્યક્તિ એવુ ઇચ્છે છે કે પોતાનુ સંતાન શ્રીકૃષ્ણ જેવુ નિશ્ચિલઆજ્ઞાકારી બને તેવી ખાસ ઇચ્છા હોય છે ત્યારે આજે ખાસ યોગ બની રહ્યો છે.
ઉલ્લેખનીય છે જે લોકોને ત્યાં સંતાન પ્રાપ્તિ ના થતી હોય તેવા લોકોને ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ કરવાથી સંતાન સુખ પ્રાપ્ત થાયછે. આજે આઠમ છે અને શ્રીકૃષ્ણને 8 અંક સાથે વિશેષ લગાવ રહેલો છે તેવું શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે.
આજે સમગ્ર દેશમાં રાતે 12 વાગ્યે કૃષ્ણ જન્મોત્સવના કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવશે અને અને ભગવાનના જન્મ બાદ પ્રસાદી સ્વરૂપે પંજરી લોકોમાં વહેંચવામાં આવશે ત્યારે અહીં આપેલા કેટલાક ઉપાયો દ્વારા નિઃસંતાન લોકોને ભગવાન શ્રી કૃષ્ણ જેવા ખાસ ગુણ ધરાવતા સંતાનની પ્રાપ્તિ થશે. આજે વિશેષ યોગ સર્જાઈ રહ્યો છે ત્યારે આ ખાસ ઉપાય દ્વારા ભગવાન શ્રીકૃષ્ણની કૃપા થશે.
- ભગવાન કૃષ્ણની મુર્તી પર પંચમૃતથી અભિષેક કરવો.
- કૃષ્ણની મુર્તી સમક્ષ ચોખ્ખા ઘીનો દીવોપ્રગટાવવો.
- ચોખ્ખા ઘીનો દીવો પ્રગટાવ્યા બાદ શુદ્ધમને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ સામે બેસીને"ક્લીન દેવી સુત ગોવિંદ વસુદેવ જગતપતેદેહ મા તાનુ કૃષ્ણ તાવમહં શરમન ગતા" આ ગોપાલ મંત્રનો જાપ કરવાથી શ્રીકૃષ્ણની કૃપા થશે