બેટરી સ્માર્ટફોનનો એક મહત્વનો ભાગ ગણવામાં આવે છે. પરંતુ જ્યારે બેટરી વિસ્ફોટ થવાના કિસ્સા સામે આવે છે ત્યારે લોકોમાં ભય ઊભો થઇ જતો હોય છે. જ્યારે એક રિચર્જમાં જાણવા મળ્યું છે કે 10 000 વાર નાના હીરાની મદદથી લીથિયમની બેટરીમાં આગ લાગવાથી બચી શકાય તેમ છે.
જર્નલ નેચર કોમ્યુનિકેશન્સના આધારે પ્રક્રિયા આપી કે નૈનો ડાયમંડ ઇલેક્ટ્રોકેમિકલની માત્ર ઓછી કરી દેવાથી લિથિયમની બેટરીમાં શોર્ટ સર્કિટ થવાની સંભાવનામાં ઘટાડો થઇ શકે છે. શોધકર્તાઓનું માનવું છે કે નેનો ડાયમંડ ઈલેક્ટ્રોકેમિકલની માત્રાને ઓછું કરી દે છે. તેનાથી લિથિયમની બેટરીમાં શોર્ટ સર્કિટ થવાની શક્યતાઓ ઘટી જાય છે.
આમ મોબાઈલની બેટરી ફાટવાની ઘટનાઓ ઓછી થઈ જશે અને ગ્રાહકો સુરક્ષિત રહેશે.
કેવી રીતે કામ કરે છે
બે ઇલેક્ટ્રોડ વચ્ચે ઇલેક્ટ્રોકેમિકલ પ્રક્રિયા શરૂ થતા કરંટનું ઉત્પાદન થાય છે. આ રીતે બેટરીને ચાર્જ કરવામાં આવતી હોય છે જેમાં નવા સંશોધન અનુસાર નેનો ડાયમંડ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યૂશન દ્વારા ડેંડ્રાઇટ ફોર્મેશનને ઓછુ કરી દેવામાં આવતું હોય છે.આ કારણથી મોબાઇલની સ્ટોરેજની સમતા વધારી દેવામાં આવે છે. સંશોધકોએ જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોલાઇટ એડિટિવ્સને નેનો ડાયમંડ માફિક માનવામાં આવી રહ્યું છે જેનો પ્રયોગ ઉચ્ચ ઘનત્વ સાથે સુરક્ષિત લિથિયમ બેટરી માટે યોગ્ય હોઈ શકે છે.