તંત્ર ક્રિયાઓમાં ઉપયોગ થનારી સામગ્રીમાં એક એવું ફળ છે જે કોઇ પણ વ્યક્તિના જીવનમાં ધનની ખામીને પૂરી કરી શકે છે. આ શુભ વનસ્પતિનું નામ છે નાગકેસર. એને ગરીબી દૂર કરવા માટેનું ફૂલ કહેવામાં આવે છે. આ ફૂલનો સાચી રીતે ઉપયોગ કરવા પર ધન લાભના યોગ બનવા લાગે છે. તમે પણ અજમાવો અને અપાર સંપત્તિના માલિક બની જાવ.
નાગકેસરનો પ્રયોગ પૂજા-પાઠમાં પણ કરવામાં આવે છે. તંત્ર અનુસાર નાગકેસરના કેટલાક સરળ ઉપાય કરવાથી વ્યક્તિ આર્થિક તંગીથી બચી શકે છે. આ સાથે જ આ ઉપાય વ્યક્તિને ધનવાન બનાવી શકે છે. ચલો તો જાણીએ નાગકેસરના કેટલાક ઉપાયો...
જો પરિવારમાં અશાંતિ છે તો નાગકેસરનું ફૂલ લાવીને ઘરમાં ક્યાંયક છુપાડી દો. જ્યાં એને કોઇ જોઇ શકે નહીં.
પલાશ નાગકેસર અરિષ્ટ શમી વગેરે છોડ ઘરના બગીચામાં લગાવવો શુભ માનવામાં આવે છે.
કોઇ પણ શુભ મૂહુર્તમાં નાગકેસર અને 5 સિક્કા એક કપડામાં બાંધીને તિજોરીમાં રાખવાથી ઘરમાં ક્યારેય પૈસાની તંગી થતી નથી.
શિવલિંગનો અભિષેક કરવાથી પશ્વાત બિલ પત્ર અને નાગકેસરનું ફૂલ અર્પિત કરો. ત્યારબાદ પ્રસાદ ચઢાવો. અર્પિત કરેલા બિલી પત્રો અને ફૂલોને તિજોરીમાં રાખી દો જેના કારણે સંપત્તિમાં વધારો થાય છે.
નાગકેસર હળદર સોપારી એક સિક્કો તાંબાનો ટુકડો અને ચોખાને કપડામાં બાંધીને લક્ષ્મી પૂજામાં રાખો.
નાગકેસરથી ઘરની બહાર અને પૂજા સ્થળ પર સ્વસ્તિકનું ચિન્હ બનાવો.
કપડામાં નાગકેસર લગાવીને તિલક લગાવવાથી ઘરમાં થનારા ક્લેશથી છુટકારો મળે છે.