નવી દિલ્હી: દેશમાં દરેક ગાડીઓનો ઇન્શ્યોરન્સ હોવો જરૂરી છે. જો ગાડીનો ફુલ ઇન્શ્યોરન્સ કરાવી શકતા નથી તો થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ કરાવવો જરૂરી છે. જો કોઇ ગાડીનો ઇન્શ્યોરન્સ કરાયા વગર ચલાવે છે તો આ કાયદાકીય ગુનો છે. દેશમાં ઇન્શ્યોરન્સ વગર રસ્તા પર દોડનાર ગાડીઓ પર કાબુ મેળવવા માટે સરકાર નવી યોજના બનાવી રહી છે. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ ઇન્શ્યોરન્સ કંપનીઓને કહ્યું છે કે જે ગાડીઓનો ઇન્શ્યોરન્સ હોય એ ગાડીઓની ડિટેલ્સ આપે. આ વીમા વગરની ગાડીઓને પકડવામાં મદદ કરશે. મિનિસ્ટ્રી બધા ડેટાને એક ઇપ્લેટફોર્મ પર નાખશે. આ ડેટાને રાજ્યોના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ અને ટ્રાફિક પોલીસ એક્સેસ કરી શકશે. એનાથી એ વ્હીકલ્સની ઓળખ કરવામાં આવશે જે વીમા વગર રોડ પર ચાલી રહી છે. હાલમાં જે ગાડીઓનો ઇન્શ્યોરન્સ છે અથવા ખતમ થઇ ગયો છે એની તપાસ માટે ગાડી રોકીને એના ઇન્શ્યોરન્સ પેપર જોવા પડે છે.
ઇન્શ્યોરન્સ ઇન્ફોર્મેશન બ્યૂરો પ્રમાણે દેશમાં આશરે 21 કરોડ વાહન છે. એમાથી માત્ર 6.5 કરોડ વ્હીકલ્સમાં જ વીમો છે. વીમો નહીં હોવામાં મોટાભાગના વાહનો જે હવે રોડ પર આવતા નથી. અધિકારીઓનું માનવું છે કે રોડ પર ચાલનાર 50-55 ટકા વાહનોની પાસે વીમો છે. તો બીજી બાજુ દરેક કોમર્શિયલ વાહનોની પાસે વીમો છે અને એ લોકો દરેક વર્ષે રિન્યૂઅલ પણ કરાવે છે. પેસેન્જરની કારની વાત કરીએ તો આશરે 70-80 ટકા ગાડીઓમાં વીમો છે. ટૂ વ્હીલર વાહનોમાં વીમો સૌથી ઓછો છે. દેશમાં લગભગ 40-50 ટકા ટૂ વ્હીલર વાહનોની પાસે જ વીમો છે. દેશમાં કુલ વાહનોની સંખ્યામાં આશરે 70 ટકા ભાગ ટૂ વ્હીલરનો છે.
થર્ડ પાર્ટી ઇન્શ્યોરસ વગર કાર ચલાવી ગુનો છે. એના માટે 1000 રૂપિયાનો સુધીનો દંડ લાગી શકે છે. આ ઉપરાંત જેલની સજા પણ થઇ શકે છે. સુપ્રીમ કોર્ટની એક પેનલના ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટીને કહ્યું કે કાર અને ટૂ વ્હીલરની રજિસ્ટ્રેશનના સમયે જ 3 અથવા 5 વર્ષનો ઇન્શ્યોરન્સ આપે.