ભાવનગરઃ બોટાદના ઉમેદવારો પોતાનો મત પોતાને જ નહીં આપી શકે. કારણ કે બોટાદ બેઠક પર ભાજપમાંથી સૌરભ પટેલ મેદાને છે જે અમદાવાદ ખાતે મતદાન કરશે. જ્યારે ગઢડા બેઠકના ભાજપના ઉમેદવાર આત્મારામ પરમાર સુરતમાં મતદાન કરશે. જ્યારે ગઢડાના કોંગ્રેસના ઉમેદવાર પ્રવિણ મારુ ભાવનગરમાં મતદાન કરશે. જેથી તે પોતાને મત નહીં આપી શકે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું આજે મતદાન છે. પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠક પર આજે મતદાન છે. આ તમામ બેઠકો સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાત આવેલ છે. ચૂંટણીના રસાકસી ભર્યા માહોલ વચ્ચે આજે 89 બેઠકો પર 977 ઉમેદવારો મેદાનમાં ઉતરવાના છે.