ઘરની અન્ય વસ્તુઓની જેમ ઝાડુ એટલે કે સાવરણીને પણ પોતાનું મહત્વ છે. ઝાડુ માત્ર ગંદકી સાફ કરતું નથી પરંતુ ઘરની ગરીબી પણ દૂર કરે છે. હિંદુ ધર્મમાં ઝાડુને દેવી લક્ષ્મીનું સૂચક માનવામાં આવે છે. એનાથી સંબંધિત શકુન અને અપશકુન વ્યક્તિના જીવનને પ્રભાવિત કરે છે. વાસ્તુ અનુસાર ઝાડુથી સંબંધિત કેટલીક માન્યતાઓને અપનાવવાથી પરેશાનીઓથી બચી શકાય છે.
- હિંદુ ધર્મમાં ઝાડુને દેવી લક્ષ્મીનું સૂચક માનવામાં આવે છે એટલા માટે ઝાડુ પર પગ લગાવવો જોઇએ નહીં. આવું કરવાથી દેવી લક્ષ્મીનું અપમાન થાય છે અને એનાથી આર્થિક તંગીનો સામનો કરવો પડે છે.
- ઝાડૂને હંમેશા એવા સ્થળ પર રાખવું જોઇએ જ્યાં કોઇની નજર પડે નહીં.
- વાસ્તુશાસ્ત્ર અનુસાર ઝાડૂને ગમે ત્યાં રાખવાથી ધનના આગમનમાં રુકાવટ પેદા થાય છે અને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે.
- જે પ્રકારે દેવી લક્ષ્મીને સમ્માન આપવામાં આવે છે એ જ પ્રકારે ઝાડૂને પણ સમ્માન આપવું જોઇએ.
- સૂર્યાસ્ત સમયે ઘરમાં ઝાડૂ ના મારવું જોઇએ એવું કરવાથી લક્ષ્મી
- ઝાડૂ ને ક્યારેય પણ ઊભું મૂકશો નહીં. આ પ્રકારના ઝાડુ રાખવું અપશુકન માનવામાં આવે છે એટલા માટે આડું રાખો.
- શનિવારે નવા ઝાડુનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે.
- વાસ્તુ અનુસાર તૂટેલા ઝાડુનો ઉપયોગ ના કરો. તૂટેલા ઝાડુથી ઘરની સફાઇ કરવાથી ઘણા પ્રકારની પરેશાનીઓનું આગમન થાય છે.
- ઝાડૂએ પશ્વિમ દિશાના કોઇ રૂમમાં રાખવો સારું માનવામાં આવે છે અને એનાથી ઘરમાં નકારાત્મક ઊર્જા પમ આવતી નથી.