હિન્દુ ધર્મમાં કપાળમાં તિલક કરવાની પરંપરા ખાસ રહી છે.કોઇપણ ધર્મકાર્ય હોય શુભ કાર્ય હોય અથવા ભગવાનનાં કોઇ મંદિરમા દર્શન કરવા જતા સમયે કપાળમાં કંકુ અથવા ચંદનનું તિલક લગાડવામાં આવે છે. આ તિલક પાછળ આધ્યાત્મિકતાની સાથે વિજ્ઞાન પણ રહેલુ છે. આવો જાણીએ તે વૈજ્ઞાનિક રીતે શું થાય છે ફાયદા.
- તિલક લગાડવાથી માથાની પિટિયુટરી ગ્લેન્ડઝ સક્રિય થવા લાગે છે જેના કારણે આળસ દુર થાય છે અને મગજની શક્તિ વધવા લાગે છે. અને તિલક કરવાથી માનસિક તણાવ દુર થાય છે.
- નિયમિત રીતે કપાળમાં તિલક લગાડવાથી નાડી મંડળની પરિશુધ્ધ સક્રિયતાથી ઇનસોમનિયા અને સાયનસ જેવા રોગથી છુટકારો મળે છે.
- કપાળમાં હળદરનું તિલક લગાડવાથી ત્વચા શુધ્ધ રહે છે.હળદરમાં એન્ટી બેક્ટેરિયલ તત્વ રહેવાના કારણે કેટલાક રોગથી મુક્તિ મળે છે.
- યોગીઓ ધ્યાન શરૂ કરતા પહેલા પોતાના માથા પર તિલક અથવા ત્રિપુંડ કરે છે આ જગ્યાએ આજ્ઞા ચક્રમાં રહેલ પિન્ડમાં જોડાયેલી બધી જ નાડીઓનો સમુહ આવેલો છે જેના કારણે મગજ શાંત રહે છે અને માનસિક એકાગ્રતા વધે છે.
-એક ધાર્મિક માન્યતા મુજબ તિલક કરવાથી ગ્રહદોષથી શાંતિ મળે છે અને ઘરમાં સુખ અને શાંતિ આવે છે.