પૂજા અને ખાવામાં સોપારી અલગ અલગ હોય છે. ખાવાની સોપારી મોટી અને પૂજાની સોપારી નાની હોયય છે. સોપારી ખાનાર મોટાભાગે પાનની સાથે સોપારીને લપેટીને ખાય છે. વાસ્તુશાસ્ત્રમાં સોપારીને લઇને ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે. માન્યતા છે કે આખી સોપારીને મંત્રો દ્વારા અભિમંત્રિત કરીને ઘરમાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે. એક નાની આખી સોપારી તમને ધનવાન પણ બનાવી શકે છે.
જ્યોતિષ પ્રમાણે ઘરમાં પૂર્વ અને ઉત્તર ખૂણામાં વિધિ સાથે ચાંદીના વાસણમાં સોપારી સ્થાપિત કરીને દરરોજ સવાર સાંજ ધૂપ દીવો કરવાથી ઘ પરિવારથી દુર્ભાગ્યની છાયા દૂર થવા લાગે છે. ધન પ્રાપ્તિ માટે લાલ કપડાં પર શ્રીયંત્ર સ્થાપિત કરીને એના મધ્યમાં જો એક સોપારી ગણેશજીના પૂજનની સ્થાપિત કરવામાં આવે.
શાસ્ત્રો અનુસાર સોપારીની વિધિથી પૂજન ચમત્કારિક પરિણામ આપે છે. જે વ્યક્તિ પાસે સિદ્ધ સોપારી હોય છે એની પાસે ક્યારેય પૈસાની તંગી રહેતી નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર તિજોરી જ્યાં તમે પૈસા જ્વેલરી અને અન્ય કિંમતી વસ્તુઓ રાખે છે એ જગ્યા પવિત્ર અને સકારાત્મક ઊર્જાથી ભરપૂર હોય છે.