પૂજામાં ઉપયોગમાં આવતી અને ખાવાની સોપારી બંને અલગ-અલગ હોય છે. ખાવાની સોપારી મોટી અને પૂજાની સોપારી નાની હોય છે. સોપારી ખાતા લોકો મોટેભાગે પાનમાં સોપારી મિક્સ કરીને ખાય છે. વાસ્તુશાસ્ત્રમાં સોપારીને લઇને ઘણા ઉપાયો બતાવવામાં આવ્યા છે. માન્યતા છે કે આખી સોપારીને મંત્રો દ્વારા પૂજીને ઘરમાં રાખવાથી ઘરમાં સકારાત્મક ઉજાનો પ્રવેશ થાય છે. તથા સુખ સમૃદ્ધિ આવે છે. એક નાની સોપારી તમને ઘનવાન બનાવી છે.
જ્યોતિષ અનુસાર ઘરમા પૂર્વ અને ઉત્તર દિશામાં અથવા તો ઇશાન ખૂણામાં ચાંદીના વાસણમાં સોપારી મૂકીને હંમેશાં સવારે સાંજે તેને અગરબત્તી અને પૂજા કરવી જોઈએ. તેનાથી પરિવારના લોકો પર દુર્ભાગ્ય નથી રહેતું.
ધન પ્રાપ્તિ માટે લાલ કપડામાં શ્રીયંત્ર સ્થાપિત કરીને તેના મધ્યમાં એક સોપારી ગણેશજીનું પૂજન કરીને સ્થાપિત કરવામાં આવે તો ગણેશજીની કૃપાથી ધનોપાર્જન થઈ શકે છે અને વિધ્નો દૂર થાય છે.
સોપારીનું પૂજન કરીને તેને સિદ્ધ અથવા અભિમંત્રિત કરવા માટે શુભ મુર્હુતમાં પીળા અથવા લાલ કપડા પર રાખીને ગણેશજીનું આહ્વાહન કરવું જોઈએ. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે સોપારીને યોગ્ય રીતે પૂજન કરવાથી તે ચમત્કારિક પરિણામ આપે છે.
તમારી કોઈ ઇચ્છા પૂરી ન થતી હોય તો મનોકામનાની પૂર્તિ માટે શ્રેષ્ઠ મુર્હુતમાં કોઈ મંદિરમાં જઇને સોપારી અને તાંબાના લોટામાં ગંગાજળ ભરીને દક્ષઇણમાં રાખો અને ઇશ્વરને પ્રાર્થના કરો તે તમારી ઇચ્છા પૂર્ણ કરો.
જ્યોતિષ અનુસાર જો કોઇ કામ વારંવાર અડચણો આવે છે તો ગણેશ ચુતર્થીને દિવસે જમણી સૂંઢના ગણેશજીનું ચિત્ર દોરીને લિવંગ અને સોપારીથી તેમની પૂજા કરો. અને જ્યારે પણ તે કામ જવાનું હોય ત્યારે લવિંગ ઇલાયચી અને સોપારી પોતાન પાસે રાખીને જાવ. તથા અટકતુ હોય તે કામના સમયે લવિંગ કે ઇલાયચી મોંમા રાખવી અને મનમાં 'જય ગણેશ કાટો ક્લેશ'ના જાપ કરતા રહો. ઘર જવા પર સોપારીને ફરી ગણેશજીને ફોટોની સામે રાખી દો. આ ઉપાયથી તમારું કાર્ય સફળ થશે.