શ્રાવણમાસની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનના દિવસે ભારત ઉપરાંત આ ગ્રહણ દક્ષિણ-પુર્વ એશિયાના કેટલાક દેશો જેવા કે યુરોપઆફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ જોવા મળ્યું હતું.
જ્યોતિષીઓના મત મુજબ આ ગ્રહણની અસર કેટલીક રાશિઓ પર સારી અસર પાડનારી હતી તો કેટલીક રાશિઓ પર નકારાત્મક અસર પાડનારી હતી. પરંતુ જાણવું જરૂરી છે કે ચંદ્રગ્રહણ પછી શું કરવું જોઈએ જેથી તેની નકારાત્મકતા સંપૂર્ણ રીતે સમાપ્ત થાય.
- વહેલી સવારે ઉઠી સ્નાન કરી સ્વચ્છ કપડા પહેરવા જોઈએ.
- ગ્રહણ વખતે પહેરેલા કપડા કોઈ જરૂરિયાત વાળી વ્યક્તિને દાનમાં આપવા
- સ્નાન કર્યા બાદ જ પૂજા ઘરમાં પ્રવેશ કરવો જોઈએ
- ચંદ્રગ્રહણ સમાપ્ત થયા પછી ઘરમાં રહેલ ભગવાનની બધી મૂર્તિઓ પર ગંગાજળ છાંટી પવિત્ર કરવી જોઇએ.
-ત્રણ સુક્કા નાળિયેર અને સવા કિલો અનાજ દાનમાં આપવા જોઇએ.
- પોતાના સ્વજનને યાદ કરી જરૂરિયાતમંદ લોકોને દાન-દક્ષિણ આપવી જોઈએ.
- જો તમારા ઘર પાસે કોઈ મંદિર છે તો ત્યાં જઈને પૂજા-પાઠ કરવાથી મનને શાંતિ મળે છે.
- ઘરની નજીક કોઈ તળાવ કાંટે શિવમંદિર આવેલ હોય તો ત્યાં જઈને ભગવાન શિવની આરાધના કરવાથી મનને શાંતિ મળે છે અને ગ્રહણની અસર ઓછી થાય છે.
- આ ઉપરાંત તમારા ઘરમાં તલસીનો છોડ હોયતો તેના પર ગંગા જળ છંટવાથી શુદ્ધ થાય છે.
- ઘરની સાફ-સફાઈ કરી સમગ્ર ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ જેનાથી ઘર પવિત્ર થાય છે અને ગ્રહણની નકારાતમક અસર પુરી થાય છે. ઘરમાં સુખ -સમૃદ્ધિ બની રહે છે.