ભારત દેશમાં સોના-ચાંદીની ભારે માંગ છે. એના ભાવ ગમે તેટલા વધે તો પણ એને ખરીદવામાં ભારતના લોકો પાછા પડતા નથી.
સોના માટે એક એવી માન્યતા છે કે સોનાનું ઘરેણું મળવું અથવા ગુમ થઇ જવું બંને અપશુકન હોય છે. હકીકતમાં સોનાનો સંબંધ ગુરુ ગ્રહથી માનવામાં આવ્યો છે. એટલા માટે સોનાનું ગુમ થવું અથવા મળવા પર ગુરુ ગ્રહના અશુભનો પ્રભાવનો સામનો કરવો પડે છે. આજે અમે તમને જણાવીએ છીએ કયા ઘરેણાનું ગુમ થઇ જવું અથવા મળવા પર જીવન પર શું અસર પડે છે.
- જો કોઇના કાનનું ઘરેણું એટલે કે ઇયર રિંગ ગુમ થઇ જાય તો કોઇ ખરાબ સમાચાર સાંભળવાના મળી શકે છે.
- ગળાનો હાર ખોવાઇ જાય તો એશ્ચર્યની ખામી આવવાના સંકેત હોઇ શકે છે.
- જો બંગડી ખોવાઇ જાય તો માન-સમ્માનમાં કમી આવી શકે છે.
- કમરનો કંદોરો ગુમ થઇ જાય તો ભારે મુશ્કેલીઓ આવશે એવો સંકેત આપે છે.
- ડાબા પગના પાયલ ગુમ થઇ જાય તો સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચી શકે છે.
- જમણા પગના પાયલ ખોવાઇ જાય તો યાત્રામાં દુર્ઘટના તરફ સંકેત આપે છે.
- નાકની ચુની ખોવાઇ જાય તો તમારે બદનામી અથવા અપમાનનો સામનો કરવો પડી શકે છે.
- માથાના ટીકો ખોવાઇ જાય તો કોઇ મોટું ટેન્શન મળી શકે છે.