ટંકારા પાસે આવેલ લજાઈ ગામે છેલ્લા 50 - 50 વર્ષથી અમારી ગાય કતલખાને નો જાય એવા ધ્યેય સાથે નિરાધાર અંધઅપંગ ગાયોના લાભાર્થે ગ્રામજનો દ્વારા પ્રતિવર્ષ ઐતિહાસિક નાટક રજુ કરવામાં આવે છે અને જેના પ્રેરક બળસમા સોમદત બાપુનાં વડપણ હેઠળ પરંપરાગત રીતે જયારે ઐતિહાસિક નાટક રજુ થાય છે ત્યારે મોરબી સહીત આજુ બાજુ 25 - 30 ગામના લોકો આ નાટક જોવા નાના એવા લજાઈ ગામે મોડી રાત્રી સુધી નાટકની માજા માણવા ઉમટે છે માત્ર ને માત્ર ગાયોના લાભાર્થે થતા નાટકમાં ગામના શિક્ષિત યુવાનો દ્રારા નાટકમાં મહિલા સહિતના પરિવેશ પોતાના અભિનયના ઓજશ કળા પીરસે છે માત્ર ને માત્ર ગૌ સેવા માટે અને અમારી ગાય કદી કતલખાને ન જાય તેવા અભિગમ સાથે આ નાટક ભજવવામાં આવે છે આજે 51માં વર્ષે પણ નાના એવા લજાઈ ગામના ગ્રામજનોએ આ સિલસિલો ચાલુ રાખ્યો છે.
ટંકારાના લજાઇ ગામે અંધઅપંગ અને નિરાધાર ગાયો ની ગૌશાળા આવેલી છે આ ગૌશાળા ના લાભાર્થે નવરાત્રી દરમિયાન એક દિવસ નાટક ભજવવાની પરંપરા છેલ્લા 50 વર્ષથી ચાલી આવે છે. ગાયોની સેવા ના હેતુ ની સાથે લુપ્ત થતી નાટક કલા ને જીવંત રાખતી આ પરંપરામાં ભજવતા નાટકો એટલા બધા લોકપ્રિય થઈ ગયા છે કે તેને જોવા માટે અંદાજે 15 થી 20 હજાર માણસો ભેગા થાય છે.
લજાઇ ગામે ગાયોના લાભાર્થે ભજવાતું નાટક લોકપ્રિય અને અત્યંત જાણીતું બની ગયું છે. નાટક ના પાત્રો ગામના યુવાનો અને કલાકારો ભજવે છે સ્ત્રીના પાત્રો પણ પુરૂષો જ ભજવે છે. નાટક ના તમામ પાત્રો પુરૂષો જ ભજવે છે સીરામીક ના કારખાનેદારોસરકારી નોકરિયાત કોઈ પણ છોછ વગર લેડીસ ના સુંદર પાત્રો ભજવે છે. પાત્રો ભજવવા માટે ગ્રામજનો ગામે તેવું કામ પડતું મૂકીને અહીં આવવાનું ચુકતા નથી. નાટક માં પાત્ર ભજવતા ગ્રામજનો ની નાટ્યકલાથી પ્રભાવિત થઇ ને તેમને સિરિયલો અને ફિલ્મો ની ઓફર મળી છે પરંતુ આ નાટક ના પાત્રો કહે છે કે અમે તો માત્ર ગૌસેવા માટે આ ભેખ ધારણ કરીએ છીએ.આજના આધુનિક યુગમાં નાટ્યકલા લુપ્ત થઈ રહી છે ત્યારે ગુજરાતનો વારસો ગણાતી આ કલા લજાઇ ગામમાં વર્ષોથી જીવંત છે અને તે પણ સ્વાર્થ વગર માત્ર અબોલ પશુઓની સેવા માટે.