રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન ફરી એકવાર ચર્ચામાં છે. રાઘુરામ રાજને મોદી સરકારના આર્થિક સુધારાઓ પર સવાલ ઉઠાવ્યા છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું મેક ઇન ઇન્ડિયા કરતા નહીં પરંતુ મેક ફોર ઇન્ડિયા થવું જોઈએ. આ સાથે જ રાજને ફરી એકવાર ગવર્નર બનવાની ઈચ્છા દર્શાવી છે. રાજને સ્વીકાર્યું કે નોટબંધીને કારણે GDPમાં 1 થી 2 ટકાનો ઘટાડો થયો છે અને રિ{ર્વ બેંકે પણ નોટબંધીનો ભાર સહન કરવો પડયો છે.
રઘુરામ રાજનનું માનીએ તો નોટબંધીને કારણે અંદાજે 2 લાખ કરોડોનું નુકસાન થયું છે. જ્યારે ટે~સની આવકથી માત્ર 10 હજાર કરોડની આવક થઈ છે. મહત્વનું છે કે રઘુરામ રાજને નોટબંધી લાગુ કરવાના થોડા સમય પહેલા જ ગવર્નર પદેથી રાજીનામું આપી દીધું હતું. રઘુરામ રાજન સ્વીકારી ચૂ~યા છે કે તેમની અને સરકારની વિચારધારામાં મતભેદ હતા. જેને લઈને સરકારે તેમની પ્રપો{લ ન સ્વીકારતા તેમણે રાજીનામું આપી દીધું. રઘુરામ લાંબા સમય બાદ આવેલા એવા ગવર્નર હતા જેમણે ગવર્નર તરીકે ભારે લોકચાહના મેળવી હતી.