સોમવારના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું. રાજ્યની દરેક બેઠક પર ભારે રસાકસી જોવા મળી હતી. ત્યારે વિધાનસભાની 180 સીટો પરથી 80 સીટે કોંગ્રેસને મળી હતી. ત્યારે જામજોધપુરમાં કોંગ્રેસન ઉમેદવાર જીતીને આવ્યા હતા.
જામજોધપુરના લાલપુર વિધાનસભાની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ચિરાગભાઇ કાલરિયા વિજેતા થયા હતા. ચિરાગભાઇ કાલરિયાએ જીત મેળવ્યા બાદ તેમના સમર્થકોએ ફટાકડાં ફોડ્યા હતા અને વિજય સરઘસ નિકાળ્યું હતું.
આ સરઘસમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ હોદ્દેદારો સહિત વિવિધ સમાજના આગેવાનો જોડાયા હતા અને ઢોલનગારા વગાડ્યા હતા. ફટાકડાં ફોડીને તેમની જીતને તેમના સમર્થકોએ વધાવી લીધી હતી.