રાજકોટઃ રાજકોટ પશ્વિમ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજયગુરૂ આવતીકાલે ફોર્મ ભરી શકે છે. જોકે હજુ પક્ષ દ્વારા સત્તાવાર જાહેરાત બાકી છે. ઇન્દ્રનીલ રાજયગુરૂ સમર્થકો સાથે કોંગ્રેસ કાર્યાલય ફોર્મ ભરી શકે છે. સોમવારે કિસાનપરા ચોક પર સભા યોજી ઇન્દ્રનીલ રાજયગુરૂ ફોર્મ ભરી શકે છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ-69ની બેઠક પર મુખ્યમંત્રી ચૂંટણી લડતા હોવાથી આ બેઠક પ્રતિષ્ઠાના જંગ સમાન બની રહેશે. બંને પક્ષો બેઠક પર વિજય મેળવવા માટે તમામ તાકાત લગાવી દેશે. ફોર્મ ભરતાની સાથે પ્રચારકાર્ય વેગવંતુ બની જશે.
મહત્વનું છે કે ભાજપ દ્વારા પ્રથમ અને બીજી યાદીમાં કુલ 106 ઉમેદવારોને જાહેર કરીને નવી જ ચાલ ચાલી લીધી છે. ત્યારે કોંગ્રેસ પોતાના ઉમેદવારો લઇ મંથન કરી રહી છે. અને ટૂંક સમયમાં યાદી જાહેર કરશે તેવી સંભાવનાઓ છે.