ભુજ: કચ્છમાં કોંગ્રેસે સસ્તા અનાજનું કૌભાંડ ઝડપ્યું છે. ખોટા BPL કાર્ડ બનાવીને કૌભાંડ આચરવામાં આવતું હોવાની શક્યતાઓ છે. ભુજના 150થી વધુ આર્થિક સક્ષમ લોકોના BPL કાર્ડ હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે કોંગ્રેસે 150 નામની યાદી સાથે કલેક્ટરને ફરિયાદ કરી છે. ગરીબોને મળતું અનાજનું વેચાણ થતું હોવાનો પણ પર્દાફાશ થયો છે. ત્યારે આ મામલે જિલ્લા અધિક કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે ભુજના 150થી વધુ આર્થિક સધ્ધર લોકોને બીપીએલ કાર્ડ હોવાને લઇ તપાસનો વિષય બન્યો છે. બીપીએલ કાર્ડ માત્ર આર્થિકરીતે ગરીબ લોકોને ફાળવવામાં આવે છે ત્યારે આ પ્રકારે ધનવાનો પાસે કેવી રીતે કાર્ડ પહોંચી જાય છે તે ચર્ચાનો વિષય છે. ત્યારે જોવાનું રહ્યું તપાસનું શુ પરિણામ આવે છે.