જો તમારે બેંક વિષયક કોઇ કામ હોય તો વહેલી તકે પુરા કરી લેવા જોઇએ. કારણ કે બેંક દિવાળી ઉપર સતત 4 દિવસ સુધી બંધ રહેશે. 19 ઓક્ટોબરના રોજ દિવાળી હોવાથી બેંકમા જાહેર રજા હોવાથી તે રજા પાડશે. 20 તારીખના રોજ ગોવર્ધન પુજા અને બેસતુ વર્ષ હોવાથી બેંકમાં રજા રહેશે. 21 તારીખના રોજ ભાઇબીજ છે એટલે બેંકમાં રજા હોવાથી કોઇપણ નાંણાકીય કામકાજ થઇ શકશે નહીં. અને 22 તારીખના રોજ રવિવાર છે આમ 4 દિવસમાં બેંકમાં રજા રહેશે. 23 તારીખ ના રોજથી બેંક ફરીથી પોતાનું કામકાજ શરૂ કરશે.
ઉલ્લેખનીય છે કે તમામ બેંક દ્વારા પોતાના ATM માં પુરતા પ્રમાણમાં નાંણા લોડ કરેલા છે જેથી આ રજાનાં દિવસોમાં કોઇને પરેશાની રહે નહીં. બેંકના આ મીની વેકેશન શરૂ થવાનુ છે ત્યારે બેંકના તમામ કામકાજ વહેલી તકે પુરા કરી લેવા જોઇએ.