પાકિસ્તાનની પેશાવર યૂનિવર્સિટી રોડ પર કૃષિ નિદેશાલયની અંદર આતંકી હુમલો થયો છે આતંકીઓ તરફથી કરવામાં આવેલી ફાયરિંગમાં 9 લોકોના મોત થયા છે તો 37 લોકોને ઇજા પહોચી છે. સ્થાનીક મીડિયા અનુસાર સુરક્ષા દળોના ઑપરેશન ચાલુ રહેવાના કારણે મરનાર અને ઘાયલ થનારાના આંકડામાં વધારો થઇ શકે છે. આ હુમલાની જવાબદારી તહરીક-એ-તાલિબાને લીધી છે..
આ ઘટના પછી 4 આતંકીનઓને ઠેર કરવામાં આવ્યા છે.આતંકીઓ માસ્ક પહેરીને યૂનિવર્સિટીની પાસે આવેલા નિદેશાલયમાં ઘુસી ગયો હતો અને ત્યાથી ફાયરિંગ કરી હતી.. પેશાવરમાં આતંકી હુમલાના પગલે કટોકટી જાહેર કરી દીધી છે.. અને યૂનિવર્સિટી તરફ આવતા રસ્તાને બંધ કરી દીધા છે..ઘટનાસ્થળે પોલીસ અને સેના પહોચી ગઇ છે.સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ થઇ રહી છે..
ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.ઇજાગ્રસ્તોની સંખ્યામાં વધારો થઇ શકે છે. સવારના સમયે 8.15 કલાકે આતંકી હુમલો કરવામાં આવ્યો છે જે સમયે વિદ્યાર્થીઓ સૂતા હતા.ફાયરિંગની અવાજ સાંભળીને સૌ કોઇ ભાગવા લાગ્યા હતા. એક અઠવાડિયામાં પેશાવરમાં બીજો આતંકી હુમલો છે.