પુણે : ટીમ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડની વચ્ચે 3 મેચોની વનડે સીરીઝનો બીજી મેચ પુણે મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડયમમાં રમાઇ રહી છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા માટે આવેલા ન્યુઝીલેન્ડે નિર્ધારિત 50 ઓવરનાં અંતે ભારતને 231 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. જેનાં જવાબમાં ભારતીય ટીમે અત્યાર સુધી 1 વિકેટ ગુમાવીને 22 રન બનાવી ચુકી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ ટોસ જીતીને ન્યુઝીલેન્ડે ટીમમાં 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 230 રન બનાવ્યા અને ટીમ ઇન્ડિયાને જીત માટે 231 રનોનું લક્ષ્યાંક આપ્યું. કીવી બેટ્સમેન્ટ ભારતીય બોલરોની સામે ઘુંટણીયે પડ્યા હતા. ન્યુઝીલેન્ડની તરફથી હેનરી નિકોલસનાં 42 રન બનાવ્યા જ્યારે કોલિન ડી ગ્રેડહોમે 41 રનનો દાવ રમ્યો હતો. ભારતીય ટીમ માટે ભુવનેશ્વર કુમારે શાનદાર બોલિંગ કરતા 3 વિકેટ ઝડપી હતી. યજુવેન્દ્ર ચહલ અને બુમરાહે 2-2 વિકેટ ઝડપી હતી.