તિરુવનંતપુરમ: ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાવા જઇ રહેલી ત્રીજી અને નિર્ણાયક ટી-20 મેચ પર વરસાદ થાય એવો ભય છે. એવામાં મેચને વરસાદથી બચાવવા માટે લોકો મંગળવારે સવારથી જ પઝાવનગડી ગણપતિ મંદિરમાં પૂજા કરતાં જોવા મળી રહ્યા છે.
કેટલાક શ્રદ્ધાળુ માત્ર એક જ આશા સાથે મંદિરમાં નારિયેળ ફોડી રહ્યા છે અને એ છે સાંજે ગ્રીનફીલ્ડ સ્ટેડિયમમાં ટી-20 મેચનું સફળ આયોજન. 1988 બાદ પહેલી વખત તિરુવનંતપુરમમાં આંતરરાષ્ટ્રીય મેચનું આયોજન થઇ રહ્યું છે અને એને જોવા માટે દરેક લોકો ઉત્સુક છે.
નોંધનીય છે કે ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાનાકી છેલ્લી અને નિર્ણાયક ટી-20 મેચ નવા બનેલા ગ્રીનફીલ્ડ સ્ટેડિયમમાં સાંજે સાત વાગ્યાથી રમવામાં આવશે. છેલ્લા બે દિવસથી તિરુવનંતપુરમ ભારે વરસાદ થઇ રહ્યો છે. મોસમ વિભાગે એક દિવસ પહેલા કહ્યું હતું કે મંગળવારે પણ સવારે અને સાંજે 5 વાગ્યા બાદ વરસાદ પડી શકે છે.
પૌરાણિક કથાઓ અનુસાર એવી માન્યતા છે કે પજાવવગડી ગણપતિ મંદિર એક એવું મંદિર છે જ્યાં પ્રાર્થનાની સાથે નારિયેળ ફોડવાથી વરસાદના આગમને રોકી શકાય છે. મંદિર પહોંચેલા યુવાનોના એક સમૂહે કહ્યું 'આ ભગવાનનો એમનો દેશ છે અને ભગવાનની કૃપા રહેશે કારણ કે આ શહેરમાં 30 વર્ષ બાદ પહેલી વખત આંતરરાષ્ટ્રીય મેચનું આયોજન થઇ રહ્યું છે.'