શું તમે જાણો છો વિશ્વના દિગ્ગજ બૉલર્સને પરેશાન કરતો ટીમ ઇન્ડિયાનો બેટ્સમેન રોહિત શર્મા પોતાની એક વાતથી સતત ચિંતામાં રહે છે. જી હા અને આ ચિંતા પાછળનું કારણ છે તેની ભૂલવાની આદત. એક વખત તો રોહિત શર્મા પોતાની વેડિંગ રિંગ જ હોટલમાં ભૂલી ગયો હતો. આ વાતની ખુલાસો તેણે પોતે બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સ શોમાં ગૌરવ કપૂરની સામે કર્યો હતો.
રોહિત શર્મા જણાવે છે કે ''તે વખતે મારા નવા-નવા લગ્ન થયા હતા. મને હંમેશાથી રિંગ પહેરવાની આદત ન હતી. હું રાતે રિંગ નીકાળીને સૂઇ જવું છું. મને મોડા ઉઠવાની આદત છે. હું હંમેશા મારા સાથીઓને કહું છું કે ભાઇ નીકળતાં પહેલા એક વાર મારા દરવાજા પર નોક કરી દેવું. પરંતુ તે દિવસે આવું ના થયું અને હું ઉતાવળમાં જ હોટલમાંથી બહાર નીકળી ગયો.''
રોહિતે આગળ કહ્યુ કે ''જ્યારે બસમાં જઇ રહ્યો હતો ત્યારે ઉમેશ યાદવ મારી બાજુમાંથી પસાર થયો ત્યારે તેના હાથમાં મેં જ્યારે રિંગ જોઇ ત્યારે મને મારી ભૂલની અહેસાસ થયો. મને લાગ્યુ કે હવે બધા મારા પર ખૂબ જ હસશે એટલે મેં એક વ્યકિતને કહ્યુ કે હોટલમાં ફોન કરી રિંગ લાવી આપે. ઘણી મહેનત પછી મને આ રિંગ મળી. ધીરે-ધીરે આ વાતની ખબર બધાને ખબર પડી ગઇ અને વિરાટ કોહલીએ આ વાતને મોટી ન્યૂઝ બનાવી દીધી. જે પછી હું ક્યારેય રિંગ ભૂલ્યો નથી. જોકે ફોન આઇપેડ હું આજે પણ ભૂલી જઉં છું.''
રોહિત શર્માએ વર્ષ 2015માં રિતિકા સજદેહ સાથે લગ્ન કર્યા હતા. બંનેએ 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા રિતિકા સ્પોર્ટ્સ અને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં મેનેજર તરીકે કામ કરતી હતી. ત્યારે રોહિતની મુલાકાત રિતિકાની સાથે થઇ. ધીમે-ધીમે બંને સારા દોસ્ત બની ગયા અને તે પછી લગ્ન કરી લીધા. ક્રિકેટ જગતમાં કપલ મોટે ભાગે ચર્ચામાં છે.