ભાવનગરના ફુલસર જેવા પછત વિસ્તારમાં રવિવારે સાંજના સમયે પોતાનું સ્કૂટર લઈને સિસોટી વગાડતા આવતા આ છે શિક્ષક અને પી એચ ડી ની ડિગ્રી ધરાવતા સંજય તલસાણીયા સંજય તલસાણીયા મૂળ સાયલા તાલુકાના ધજાળા ગામના બતની છે આમતો તેમનો આખોય પરિવાર શિક્ષણ ના વ્યવસાય માં જોડાયેલો છે સંજયભાઈ ના પિતા રવજીભાઈ તલસાણીયા ધજાળા ગામ આવેલી આશ્રમ શાળામાં વર્ષો સુધી શિક્ષક તરીકે રહયા અને તેમનો વારસો તેમના 2 સંતાનો તેમના પુત્રી અને જમાઈ એ પણ જાળવી રાખ્યો છે આ તમામ લોકો હાલ શિક્ષક તરીકે લેગ અલગ જગ્યાએ ફરજ બજાવે છે સંજય ભાઈનો ભાઈ હાલ હાયર સેકન્ડરી સ્કૂલમાં શિક્ષક છે તો તેની બ્હેન અને બનેવી પ્રાયમરી માં શિક્ષક છે સંજયભાઈ એમ એડ અને પી એચ ડી ની ડિગ્રી ધરાવે છે અને તેઓ હાલ ભાવનગર જિલ્લા અને તાલીમ શિક્ષણ ભાવનામાં લેક્ચરર તરીકે ફરજ બજાવે છે સંજય ભાઈ મને છે કે વિધાયર્થીઓ ને માત્ર 4 દીવાલ ની વચ્ચે જ શિક્ષણ આપવું જરૂરી નથી બાળકોના સાવરગી વિકાસ માટે તે રવિવારના દિવસે અલગ અલગ વિસ્તારમાં જઈને બાળકોને શિક્ષણ ની સાથે રમતો રમાડી અને સાયકલો શીખવાડવા જેવી પ્રવૃતિ કરે છે.
સંજયભાઈ દર રવિવારે અને રજાના દિવસોમાં પોતાના સ્કૂટર ઉપર બેસી ને વિવ્ધ વિસ્તારમાં નીકળી પડે છે સંજય ભાઈ જે વિસ્તારમાં આવે ત્યાં સિસોટી મારતા આવે એટલે વિધ્યાર્થીઓ સમજી જાય કે સંજયભાઈ આવ્યા અહીં સંજયભાઈ તેમની સાથે બાળકો માટે ચિત્રો તેમજ અવનવી રમતના સાધનો સાથે લઇ ને આવે આવે અને બાળકો ને રમત રમાડે છે અહીં તેઓ માને છે કે આ પછત વર્ગ ના વિદ્યાર્થીઓ ને અભ્યાસ તો સુ બહાર ની જીવન વિષે પણ ક્યાંય જ્ઞાન હોતું નથી આથી સંજયભાઈ તેમનો ફાજલ સમય આ બાળકો પાછળ કાઢે છે ક્લાસ વન ઓફિસર નો હોદ્દ્દો હોવા છતાં સંજયભાઈ ગરીબ અને પછત વર્ગના બાળકો સાથે જ્ઞાતિ જતી ના ભેદભાવ વગર બાળક બની ને રામે છે આથી તેમને મજા પડે છે
ભાવનગરના પછત ગણાતા ચિત્ર ફુલસર અને અન્ય સોસાયટીમાં બાલિકાઓ સામાન્ય પરિવારના હોયછે અને તેના માતા પિતા રોજગારી માટે સવાર થી સાંજ મજૂરી કરતા હોયછે ત્યારે આ બાળકો નું કોણ તેમ મનાઈ ને સંજયભાઈ આ બાળકો ના વિકાસ માટે કામ કરી રહ્યા છે અહીં બાળકો પણ રવિવારનો ઇન્તજાર કરતા હોઈ છે અને સંજયભાઈ પાસે અવનવી રમતો રમી ને આનંદ અનુભવે છે
સામાન્ય રીતે આજનો શિક્ષક એટલે વિધાયરથી ને 4 દીવાલ વચ્ચે ગોખણપટ્ટી કરવો શિક્ષક તરીકે ઓળખાય છે જો કે આજકાલ સરકારી કામગીરી પણ એટલી બધી તેમના સિરે હોઈ છે કે શિક્ષક માનસિક તણાવ અનુભવતો હોઈ છે પરંતુ આ બધાં એ બધાની વચ્ચે સમય કાઢી ને બાળકો ઓ સાથે બાળકો જેવા થઈ ને સ્પતાહમાં એક વખત પોતે ફ્રેશ થતા હોવાનો અહેસાસ સંજય ભાઈ કરી રહ્યં છે ત્યારે અન્ય શિક્ષકો એ પણ સંજયભાઈ ની વાત માંથી પ્રેરણાં લેવી જોઈએ તેમ મનાઈ રહ્યું છે