સુરેન્દ્રનગરના થાન તાલુકાના તરણેતર ગામે ત્રીનેશ્વર મહાદેવ મંદિરના પટાઆંગણમાં દર વર્ષે ભાદરવી ત્રીજથી છઠ સુધી ચાર દિવસ વિશ્વ વિખ્યાત તરણેતરનો ભાતીગળ લોકોમેળો યોજાય છે. ત્યારે ચાલુ વર્ષે પણ જગવિખ્યાત તરણેતર મેળાનું તારીખ 24 થી 27 ઓગષ્ટ સુધી આયોજન કરવામાં આવ્યું છે. ચાર દિવસ ચાલનાર વિશ્વ્ વિખ્યાત તરણેતરના મેળાને લઇ વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ થઇ ચુકી છે.
લોકસંસ્કૃતિને ઉજાગર કરતા તરણેતરના મેળામાં માત્ર ગુજરાત જ નહિ પરંતુ દેશ-વિદેશથી મોટી સંખ્યામાં લોકો મેળામાં આવે છે. જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં યોજાયેલ મિટિંગમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. આ મેળામાં કોઈ અનિરછનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગર: ચાર દિવસ વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો યોજાશે